India vs Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ક્રિકેટ પર માઠી અસર પડી છે. ભારતના બદલો લેવાના પગલાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પહેલા પાકિસ્તાન સુપર લીગ (PSL) ને સ્થગિત કરવાની ફરજ પડી. સરહદ પાર વધતા તણાવને કારણે PCB એ હવે દેશમાં તમામ પુરુષોની સ્થાનિક ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટમાં પ્રેસિડેન્ટ્સ ટ્રોફી ગ્રેડ-II, રિજનલ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ કપ અને ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ અંડર-19 ODI ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે.
'ESPN Cricinfo' અનુસાર, શનિવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં PCB એ પુષ્ટિ આપી છે કે ત્રણેય ટુર્નામેન્ટ જ્યાંથી બંધ કરવામાં આવી હતી ત્યાંથી ફરી શરૂ થશે. બોર્ડના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટનું સુધારેલું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. PSL અનિશ્ચિત સમય માટે સ્થગિત થયાના થોડા દિવસો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ફક્ત આઠ મેચ બાકી છે. PCB એ વડાપ્રધાન શાહબાઝ શરીફની ભલામણો પછી સ્થગિત થવા પાછળનું કારણ પાકિસ્તાન-ભારત સરહદ પર બગડતી પરિસ્થિતિને ગણાવી હતી.
PCB has indefinitely suspended PSL 2025 citing security concerns, claiming India fired missiles and drones. UAE also refused to host remaining PSL matches, forcing Pakistan to cancel the league. #IndiaPakistan pic.twitter.com/3HqFcUtoLT
— Ayush Bisht (@ayushbisht1290) May 10, 2025
રસપ્રદ વાત એ છે કે PCB એ PSL ની બાકીની મેચો UAE માં સ્થાનાંતરિત કરવાની યોજના જાહેર કર્યાના 24 કલાકથી પણ ઓછા સમયમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. PSL ક્યારે ફરી શરૂ થશે તે અંગે હજુ કોઈ માહિતી નથી.
દરમિયાન, પાકિસ્તાનમાં બાંગ્લાદેશની સુનિશ્ચિત T20 શ્રેણી પર પણ અનિશ્ચિતતા છવાયેલી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ કહ્યું કે તે 21 મેના રોજ લાહોર અને ફૈસલાબાદમાં શરૂ થનારા પ્રવાસ અંગે PCB સાથે સતત વાતચીત કરી રહ્યું છે. જો કે, પ્રદેશમાં વધતા રાજકીય તણાવને કારણે પ્રવાસ પર શંકાઓ ઉભી થઈ છે.





















