ઑપરેશન સિંદૂરને સફળતા પૂર્વક પાર પાડ્યાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં 100થી વધુ આતંકીઓને ઠાર કર્યા હોવાના સામાચાર હતા.
પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે ભારતીય વાયુ સેના ઑપરેશન સિંદૂર બાદ વધુ એક એક્શન કરવાની તૈયારી કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય વાયુ સેનાને તે માટે ખુલી છૂટ આપી દેવામાં આવી છે. વાયુસેનાને સ્પષ્ટ કહેવાયું છે કે જો કઈ પણ શંકાસ્પદ જણાય તો સંપૂર્ણ તાકાતથી જવાબી કાર્યવાહી કરવામાં આવે.
હાલાકી હાલ કોઈ અન્ય ઑપરેશનની શરૂઆત થશે કે કેમ તે અંગે સત્તાવાર કોઈ માહિતી નથી મળી.





