Home Gujarat 10 Years Of Pm Mudra Yojana Loans Worth 70 Thousand Crore Given In Gujarat In The Last Five Years

10 વર્ષમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન : તમને કોઈપણ ગેરંટી વિના 10 લાખ સુધીની લોન મળશે, જાણો શું છે PM મુદ્રા લોન યોજના?

10 વર્ષમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન
Published by: Offbeat Team
| Last Updated: Apr 08, 2025, 01:26 PM IST

ગાંધીનગર: દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે.

2024 સુધીમાં ખાતાની સંખ્યા 1.95 કરોડ થઇ
આ યોજનાની સફળતા આંકડાઓથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં 1.42 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જેની સંખ્યા વર્ષ 2023-24 સુધીમાં 1.95 કરોડ સુધી પહોંચી છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં 80.5 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે.

ચાર વર્ષમાં લોન આપવામાં 74 ટકાનો વધારો
પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21માં ₹11,239 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી જે વર્ષ 2023-24માં વધીને ₹19,607 કરોડ થઇ ગઇ છે. આ રીતે ચાર વર્ષમાં લોન ફાળવણીની રકમમાં 74 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં ₹9,708 કરોડની લોન આપવામાં આવી છે.

દસ વર્ષમાં દેશમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન
પીએમ મુદ્રા યોજનાની દેશમા થયેલી અસરના મૂલ્યાંકન અંગે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પીએમ મુદ્રા યોજના શરૂ થયા બાદ દસ વર્ષના સમયગાળામાં દેશમાં કુલ 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ નોકરીઓમાંથી 47 ટકા નોકરીઓનો ફાયદો એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજના નાગરિકોને થયો છે. મોટાભાગની નોકરીઓનું સર્જન ઉત્પાદન, ટ્રેડિંગ અને સર્વિસ ક્ષેત્રમાં થયું છે.

શું છે પીએમ મુદ્રા યોજના?
દેશના નાગરિકોને પોતાના વ્યવસાય માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વિના સરળતાથી લોન મળી શકે તે હેતુથી એપ્રિલ 2015માં પીએમ મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ શ્રેણીમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી લોન આપવામાં આવે છે. જેમાં શિશુ શ્રેણીમાં ₹ 50 હજાર, કિશોર શ્રેણીમાં ₹ 50 હજારથી 5 લાખ, તરુણ શ્રેણીમાં ₹ 5 લાખથી 10 લાખ અને તરુણ પ્લસ શ્રેણીમાં ₹ 10 લાખથી 20 લાખ સુધીની લોન પ્રદાન કરવામાં આવે છે. ગુજરાતમાં બહોળી સંખ્યામાં નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે આ યોજનાનો લાભ લઇને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી

ભારે વરસાદ બાદ પાદરાના રામેશ્વર તળાવમાંથી બહાર નીકળ્યા 2 મગર: મધરાતે રહેણાંક વિસ્તારમાં મચી દોડધામ

ભારે વરસાદ બાદ પાદરાના રામેશ્વર તળાવમાંથી બહાર નીકળ્યા 2 મગર

ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ જળ: જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઐતિહાસિક MoU

ગુજરાતના છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ જળ

એપ્રિલમાં ફરી આફતના એંધાણ: અંબાલાલ પટેલની પ્રી-મોન્સૂન એક્ટિવિટીની ગંભીર આગાહી, જાણો ક્યારથી વાતાવરણમાં આવશે પલટો

એપ્રિલમાં ફરી આફતના એંધાણ
Play Video

કારમાં મહિલા હશે તો તપાસ નહીં થાય, યોગગુરુએ પણ આવું જ વિચાર્યું હતું!: 24 કલાક એક જ કપડાંમાં રસ્તા પર નોટો ભરેલી ગાડીની રાહ જોતી રહી પોલીસ, અને પછી...

કારમાં મહિલા હશે તો તપાસ નહીં થાય, યોગગુરુએ પણ આવું જ વિચાર્યું હતું!

કચ્છના રણમાં વાવાઝોડાએ અગરિયાઓની છ મહિનાની મહેનત ધોઈ નાખી: ઝૂંપડા અને સોલર પેનલો ઉડી જતા સરકાર પાસે સહાયની માંગ

કચ્છના રણમાં વાવાઝોડાએ અગરિયાઓની છ મહિનાની મહેનત ધોઈ નાખી
Play Video

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે' આટલું કહીં ભાંગી પડ્યો યોગગુરુ: જાણો કરોડોની ચલણી નોટો ભરેલી ગાડી સુરતથી અમદાવાદ આવી રહી છે એવી બાતમી મળી પછી પોલીસે શું કર્યું?

'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે' આટલું કહીં ભાંગી પડ્યો યોગગુરુ

કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત: રાજકોટ-લીંબડી નેશનલ હાઈવે પર કારનો કચ્ચરઘાણ નીકળ્યો, 2 ના મોત અને 2ની હાલત ગંભીર

કાર, પીકઅપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે: ગુજરાતના દરેક ખેડૂતો જાણી લેજો કૃષિ વિભાગની આ ગાઈડલાઈન

Agriculture; કમોસમી વરસાદથી પાકને બચાવવો હોય તો એક જ વિકલ્પ છે

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું: મનપાનું હોર્ડિંગ પડતા ઘૂઘરા વેચતા પ્રોઢનું કમકમાટીભર્યું મોત, શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી

મિની વાવાઝોડાએ સુરતને ઘમરોળ્યું

વડોદરા હાઈવે પર કાળમુખો અકસ્માત: વાવાઝોડામાં વીજ થાંભલો પડતા ટ્રક પલટી ખાઈ ઇકો કાર પર ખાબક્યો

વડોદરા હાઈવે પર કાળમુખો અકસ્માત
Play Video

World Sparrow Day 2026: 'એક હતી ચકી ને એક હતો ચકો' માત્ર વાર્તા ન બની જાય તે માટે વડોદરાની આ એનજીઓ કરી રહ્યું છે ભગીરથ કાર્ય

World Sparrow Day 2026