ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમીની તિથિને ઋષિપંચમી કહેવાય છે.
આ દિવસને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋષિ પંચમીના દિવસે સપ્ત ઋષિઓની પૂજા કરવામાં આવે છે
આ દિવસે મહિલાઓ ખાસ વ્રત રાખે છે. વ્રત કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કન્યાઓ પ્રસાદ વહેંચે છે
ઋષિ પંચમીનું વ્રત મહિલાઓ માટે સૌથી ખાસ માનવામાં આવે છે અને તેની પાછળ પણ ખાસ કારણ છે.
એવી માન્યતા છે કે ઋષિ પંચમીનું વ્રત કરવાથી મહિલાઓને એ પાપથી મુક્તિ મળી જાય છે જે તેમનાથી જાણે અજાણે માસિક ધર્મ દરમ્યાન થયા હોય
આ સિવાય ઋષિ પંચમીનું વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે તેવું પણ માનવામાં આવે છે.
ઋષિ પંચમીના દિવસે ગંગા સ્નાનનું પણ મહત્વ છે. જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું.
ઋષિ પંચમીના વ્રતમાં શાકભાજી કે અનાજ ખાવું નહીં. ખાસ તો આ દિવસે કંદમૂળ જેમકે બટેટા, સૂરણ સહિતની વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે
સામા પાંચમના વ્રતમાં દૂધી, ચીભડા જેવા વેલમાં ઉગતા શાક ખાઈ શકાય છે. આ દિવસે ઉપવાસ કરો તેમાં સામો ખાઈ શકાય છે. આ સિવાય ફળાહાર પણ કરી શકાય છે.
Recommended Stories
dharama
શુક્રનું રાશિ પરિવર્તન: આ 4 રાશિવાળાના નસીબ ચમકશે, થશે ધનવર્ષા
dharama
રાશિ મુજબ જાણો તમારો લકી કલર, કયો રંગ ચમકાવશે તમારું ભાગ્ય?
dharama
અક્ષય તૃતીયા પર ભાગ્યદય અનેક લોકો માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
ગણેશજીની કૃપા થી આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા