અભિનેત્રી મોહમાયા છોડીને બની શ્રી કૃષ્ણ ભક્ત, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!
ભોજપુરી અભિનેત્રી પ્રિયંકા પંડિતે સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરીને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ
પ્રિયંકા હવે પોતાનું જીવન કૃષ્ણ ભક્ત તરીકે વિતાવવા માંગે છે, તેની આ ભક્તિ તેના ચાહકોએ ખૂબ પસંદ આવી રહી છે
હવે પ્રિયંકાએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે! તેણે હાથમાં સિંદૂર દાણી સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું- લગ્નજીવન. રાધાવલ્લભ શ્રીહરિવંશ.
પ્રિયંકાએ ભલે શોબિઝને અલવિદા કહી દીધું હોય પરંતુ તેણે ક્યારેય સોશિયલ મીડિયા છોડ્યું નથી. તેણે વૃંદાવનમાં એક ઘર બનાવ્યું અને ત્યાં રહેવાનું શરૂ કર્યું છે.