નાગ પંચમી નો તહેવાર 29 જુલાઈ, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. શ્રાવણ શુક્લ પક્ષની પંચમી તિથિ 28 જુલાઈના રોજ રાત્રે 11:24 વાગ્યે શરૂ થશે અને 30 જુલાઈના રોજ બપોરે 12:46 વાગ્યે સમાપ્ત થશે.
નાગપંચમીના દિવસે ભક્તિપૂર્વક નાગદેવતાને વિવિધ ભોજનનો ભોગ અર્પણ કરાય છે. ચાલો જાણીએ કયા ભોગ નાગદેવતા માટે શુભ માનવામાં આવે છે.
દૂધનું અભિષેક દૂધ નાગદેવતાને અત્યંત પ્રિય છે. શિવ ભગવાન ને પણ નાગને ગળામાં ધારણ કર્યો છે તેથી દૂધથી અભિષેક શુભ માનવામાં આવે છે.
ઘી અને લોટના દીવા ઘરમાં લોટથી દીવો બનાવીને ઘી ભરી નાગદેવને અર્પણ કરવામાં આવે છે. તે આરાધનાનું રૂપ છે.
આટાનો નાગ બનાવવો ઘઉંના લોટથી નાગની આકૃતિ બનાવીને તેને ભોગ સ્વરૂપે અર્પણ કરાય છે. ભક્તિનો રૂપ છે.
ચોખા અને તુવર દાળનો ભોગ અક્ષત (કાચા ચોખા) અને તુવર દાળનો ભાતનો ભોગ પણ ચઢાવવામાં આવે છે.
દૂધ અને મિશ્રી દૂધમાં મિશ્રી ઉમેરીને નાગદેવને ચઢાવવામાં આવે છે. શુદ્ધતાનું પ્રતિક છે.
મીઠો ભોગ – લાડુ કે પેડા ઘરમાં બનાવેલા લાડુ કે પેડા પણ ભોગ સ્વરૂપે ચઢાવવામાં આવે છે.
કેળા, સફરજન જેવા ફળો ફળો ભગવાનને ખૂબ પ્રિય છે. તે પણ નાગદેવતાને અર્પણ થાય છે.
શ્રદ્ધાથી ધરાવેલ ભોગ જ સ્વીકાર થાય છે ભોગ શાંતિ, શ્રદ્ધા અને ભક્તિથી અર્પણ કરવો મહત્વનો છે. નાગદેવતાનું પૂજન કરો અને આશીર્વાદ મેળવો.

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ