બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે અવસાન થયું છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. તેઓ પોલો રમી રહ્યા હતા તે જ સમયે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.
સંજય કપૂર ઘોડા પોલો રમી રહ્યા હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ ઘોડા પરથી નીચે પડી ગયા
તેઓ ઓટો કમ્પોનન્ટ કંપની સોના કોમસ્ટારના ચેરમેન હતા. આશ્ચર્યજનક રીતે સંજયે થોડા કલાકો પહેલા જ અમદાવાદ વિમાન દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન વર્ષ 2003 માં થયા હતા. તેમનો સંબંધ લગભગ 13 વર્ષ સુધી ચાલ્યો હતો. જોકે બંને 2016 માં એકબીજાથી અલગ થઈ ગયા