આ વર્ષે રથયાત્રા 27 મે 2025 ના રોજ યોજાશે. જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રાનું ધામધૂમથી આયોજન કરવામાં આવે છે.
જગન્નાથ પુરીમાં ખાસ પ્રકારના સૂકા ચોખા ભગવાનને ભોગમાં ધરાવવામાં આવે છે. આ ચોખાનો પ્રસાદ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.
રથયાત્રા દરમિયાન એક વિશેષ પ્રકારની છડીનો ભક્તોને સ્પર્શ કરાવવામાં આવે છે. માન્યતા છે કે આ છડીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છેઆ છડી ઘરે લાવીને તિજોરીમાં રાખવી શુભ ગણાય છે.
જગન્નાથ પુરીથી પરત ફરો ત્યારે તુલસીની માળા પણ ઘરે લાવી શકો છો. ભગવાન વિષ્ણુને અતિ પ્રિય તુલસીની માળા રથયાત્રામાંથી પરત ફરતી વખતે સાથે લાવવી જોઈએ
રથયાત્રા સમાપ્ત થાય પછી જે રથમાં ભગવાન સવાર થયા હોય તેને તોડવામાં આવે છે. રથ તૂટે પછી જે લાકડા વધે છે તેને ભક્તો પ્રસાદી તરીકે ઘરે લઈ જતા હોય છે.