ભૂલથી પણ આજે ચંદ્ર જોવાની ભૂલ ન કરતા, નહીં તો ગણેશજી તમારાથી નારાજ થઈ જશે..
આ પવિત્ર ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કરવું અશુભ માનવામાં આવે છે, અને તેની પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા છે.
એવું કહેવાય છે કે એકવાર ગણેશજી પોતાના વાહન મૂષક પર બેઠા હતા, ત્યારે ચંદ્રદેવે તેમની શરીરની રચના અને મૂષકના નાનકડા રૂપને જોઈને મજાક ઉડાવી હતી.
આથી ગણેશજી ક્રોધિત થયા અને તેમણે ચંદ્રને શ્રાપ આપ્યો કે જે કોઈ ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રનું દર્શન કરશે, તેને અપયશ અને દોષ લાગશે
ચંદ્રદેવે નમ્ર બનીને ક્ષમા માંગી, અને ગણેશજીએ શ્રાપનું પરિણામ ટાળવા માટે આ દિવસે ચંદ્ર ન જોવાની સલાહ આપી. જો ભૂલથી ચંદ્ર જોઈ લો, તો સ્યમંતક મણિની કથા સાંભળવાથી આ દોષ દૂર થઈ શકે છે.
તો જેટલા પણ ગણેશભક્તો આ વેબસ્ટોરી જોઈ રહ્યા છે તમે આ ભૂલ ન કરતા .