યોગ એ સ્વાસ્થ્ય માટે અને નીરોગી રેહવા માટે ખૂબ શ્રેષ્ઠ માનવા માં આવે છે
અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં એક નાસિકા દ્વારા શ્વાસ અંદર ખેંચી અને બીજી નાસિકા દ્વારા બહાર છોડવામાં આવે છે. આ પ્રક્રિયા ક્રમવાર બંને બાજુથી થાય છે. આ પ્રાણાયામ તણાવ ઘટાડે છે
બીજું છે કપાલભાતિ પ્રાણાયામ, જેમાં ઝડપથી શ્વાસ બહાર ફૂંકવામાં આવે છે અને શ્વાસ આપોઆપ અંદર જવા દેવામાં આવે છે
ભસ્ત્રિકા પ્રાણાયામમાં ઊંડો શ્વાસ લેવાય છે અને પછી ઝડપથી બહાર છોડવામાં આવે છે. આ પ્રાણાયામ ફેફસાંને મજબૂત બનાવે છે અને શરીરમાં પૂરતું ઓક્સિજન પહોંચાડે છે.
છેલ્લું છે ભ્રામરી પ્રાણાયામ, જેમાં શ્વાસ બહાર છોડતી વખતે મધમાખીની જેમ “હુંમ્મ્” અવાજ કરવામાં આવે છે. આ ધ્વનિ મનને શાંત કરે છે, ચિંતા અને ડિપ્રેશન દૂર કરે છે