બટેટાનો ઉપયોગ દરેક ઘરમાં સૌથી વધુ થતો હોય છે. તેથી તેનો સ્ટોક પણ વધારે હોય છે
બટેટા માં અંકુર ફૂટવા લાગે છે. તો વળી કેટલીક વખત જોવા મળે છે કે બટેટાનો કેટલોક ભાગ લીલો થઈ ગયો હોય છે. આ પ્રકારના બટેટા ખાવાલાયક હોય કે નહીં તેવો પ્રશ્ન લોકોના મનમાં હોય છે.
આહાર નિષ્ણાંતો અનુસાર બટેટામાં અંકુર ફૂટવાનો અર્થ છે કે બટેટામાં છોડ બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા દરમિયાન બટેટામાં ગ્લાઇકોએલ્કનોઈડ નામનું ઝેરી તત્વ વધવા લાગે છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર અંકુરિત બટેટા ખાવા યોગ્ય હોતા નથી તેથી તેનો નિકાલ કરવો જ એકમાત્ર રસ્તો છે.
અંકુરિત બટેટામાંથી તમે ઉપરનો ભાગ કાપીને દૂર કરો અથવા તો લીલો રંગ દૂર કરો તો પણ બટેટામાં રહેલું ઝેરી તત્વ તેમાં રહે જ છે
બટેટુ જો કોઈ કોઈ જગ્યાએથી લીલા રંગનું થતું હોય તો સમજી લેવું કે તેમાં ઝેરી તત્વ વધી રહ્યું છે.