આવતીકાલે એટલે કે 16 ઓગસ્ટે જન્માષ્ટમી છે. આ સમય દરમિયાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનું વાંચન કરવું શુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે, જેમાંથી કેટલીક વાર્તાઓ લોકો જાણતા નથી. ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર, દ્વાપર યુગમાં, ભગવાન વિષ્ણુ પોતે શ્રી કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર જન્મ્યા હતા. શ્રી કૃષ્ણ તેમના દસ માંથી આઠમો અવતાર છે.
શ્રી કૃષ્ણનો જન્મ પૃથ્વી પર લોકોને ધર્મ શીખવાડવા માટે થયો હતો. જીવન સાથે જોડાયેલા તેમના તમામ જ્ઞાનનો સાર હિન્દુ ધાર્મિક ગ્રંથ ગીતામાં જોવા મળે છે. શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે કે, એક વખત તેમણે ધર્મને બચાવવા માટે 16 હજાર કન્યાઓ સાથે લગ્ન કરવા પડ્યા હતા.
શ્રી કૃષ્ણ અને નરકાસુરનું યુદ્ધ
પૌરાણિક કથા અનુસાર, એક વખત નરકાસુરે રાજાઓની 16 હજાર પુત્રીઓને કેદ કરી હતી. આ 16 હજાર કન્યાઓને બચાવવા માટે શ્રી કૃષ્ણે નરકાસુર સાથે યુદ્ધ કર્યું. તેને હરાવ્યા પછી, શ્રી કૃષ્ણે તે 16 હજાર કન્યાઓને બચાવી. જોકે, હવે સૌથી મોટી સમસ્યા એ હતી કે બચાવાયેલી ગણી કન્યાઓના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, કેટલાક લોકોએ તેમની પુત્રીઓને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
16000 કન્યાઓનું રક્ષણ કર્યુ
જ્યારે પરિવારે સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે કન્યાઓએ શ્રી કૃષ્ણને કહ્યું કે તેઓ તેમના જીવ બચવવા બદલ આભારી છે, પરંતુ હવે તેઓ એકલા ક્યાં જવું તે સમજી શકતા નથી. આવી સ્થિતિમાં, શ્રી કૃષ્ણ છોકરીઓની રક્ષા માટે 16 હજાર સ્વરૂપોમાં પ્રગટ થયા અને તે 16 હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યા. ઘણી વાર્તાઓમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે પરિવારે જાહેરમાં બદનામીના ભયથી તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે ઘણી કન્યાઓ શ્રી કૃષ્ણને પોતાનો પતિ માનવા લાગી અને દિવસ-રાત તેમની સેવામાં વ્યસ્ત રહી. જો આપણે શ્રી કૃષ્ણની રાણીઓ વિશે વાત કરીએ, તો તેમની 8 રાણીઓ હતી. જેમના નામ હતા - સત્ય, ભદ્ર, કાલિંદી, સત્યભામા, રુક્મણી, જામ્બવંતી, મિત્રબિંદા અને લક્ષ્મણા.





















