સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાતા ગણેશ મહોત્સવની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભક્તિભાવથી ભરેલો આ તહેવાર ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં ઊજવાય છે. આ પાવન અવસરે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરીને 10 દિવસ સુધી પૂજા-અર્ચના કરે છે અને અંતે ગણપતિના વિસર્જન સાથે મહોત્સવ પૂરો થાય છે.
2025 માં ગણેશ ચતુર્થી ક્યારે છે?
આ વર્ષે ગણેશ ચતુર્થી બુધવાર, 27 ઑગસ્ટ 2025ના રોજ ઉજવાશે. ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષ ચતુર્થી તિથિ 26 ઑગસ્ટ બપોરે 1:54 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 27 ઑગસ્ટના બપોરે 3:44 વાગ્યે પૂરી થશે.
ગણેશ સ્થાપન અને પૂજા માટે શુભ સમય (મુહૂર્ત):
27 ઑગસ્ટના દિવસે, ભક્તો માટે સવારના 11:05થી બપોરે 1:40 સુધીનો સમય ગણેશ મૂર્તિ સ્થાપના અને પૂજા માટે વિશેષ શુભ મુહૂર્ત રહેશે.
શુભ યોગોની સુમેળ:
આ વર્ષે ચતુર્થી પર ચાર વિશેષ શુભ યોગો બની રહ્યા છે:
શુભ યોગ
શુક્લ યોગ
સર્વાર્થ સિદ્ધિ યોગ
રવિ યોગ
આ ઉપરાંત, હસ્ત અને ચિત્રા નક્ષત્ર પણ આ દિવસે રહેશે, જે ગણપતિ પૂજાને વધુ શુભ અને ફળદાયી બનાવે છે. બુધવારનો દિવસ હોવાના કારણે પણ ગણેશ પૂજાનું મહત્વ વધે છે, કારણ કે બુધવાર ગણપતિને સમર્પિત માનવામાં આવે છે.
આ વર્ષે ભક્તો માટે ખાસ અપીલ:
મંદિરો, પંડાલો અને ઘરોમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકો પહેલેથી જ ગણપતિની મૂર્તિઓની ખરીદીમાં લાગી ગયા છે અને ઘણા સંગઠનો દ્વારા પારંપરિક સાથે આધુનિક પંડાલોની રચના પણ કરવામાં આવી રહી છે.




















