Shukra Nakshatra Parivartan: 22 ફેબ્રુઆરી 2026ના રોજ શુક્ર ગ્રહ પોતાના નક્ષત્રમાં પરિવર્તન કરીને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ભૌતિક સુખ, વિલાસ અને ધનનો કારક છે. આ પરિવર્તન ગુરુના નક્ષત્રમાં થતાં કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે. આ સમયગાળા દરમિયાન ખુશી, સમૃદ્ધિ અને આર્થિક લાભમાં વધારો થવાની સંભાવના છે.
આ ત્રણ રાશિઓને મળશે વિશેષ લાભ
વૃષભ રાશિ
શુક્રની સ્વરાશિ હોવાથી આ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને રોકાણોમાં સારું વળતર મળી શકે છે. વ્યવસાયમાં વિસ્તાર અને સફળતાની શક્યતા વધશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ વધશે, બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. કુંવારા જાતકોને યોગ્ય જીવનસાથી મળવાની સંભાવના છે.
તુલા રાશિ
શુક્રના ગોચરથી તુલા રાશિના લોકોને અજાણ્યા સ્ત્રોતમાંથી ધનલાભ થઈ શકે છે. ઉછીના આપેલા પૈસા પરત મળવાની શક્યતા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામો અનુકૂળ આવશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને અગ્રણી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રોની મદદથી કારકિર્દીમાં પ્રગતિ થશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કુંભ રાશિ
શુક્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને શનિનો મિત્ર હોવાથી આ રાશિને વિશેષ લાભ મળશે. વ્યવસાયમાં સારા સમાચાર અને નવી તકો મળશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે અને લગ્નની યોજનાઓ આગળ વધી શકે છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, સંચિત સંપત્તિ વધશે. યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય લાભ મળશે.આ શુક્રના નક્ષત્ર પરિવર્તનને લઈને આ ત્રણ રાશિઓના જાતકો માટે ફેબ્રુઆરીનો અંતિમ અઠવાડિયો ખુબ જ શુભ અને લાભદાયી રહેશે. જ્યોતિષીય ઉપાયો અને સકારાત્મક વિચારો સાથે આ સમયનો લાભ લો!




















