ઘણીવાર એવું બને છે કે ઘરમાં અચાનક મુશ્કેલીઓ આવવા લાગે છે. નાની નાની વાતોમાં ઝઘડા થાય છે, કામ બગડવા લાગે છે અને પરિવારના સભ્યો માનસિક તણાવ અનુભવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ તમામ સમસ્યાઓ પાછળ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા જવાબદાર હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં એક એવો સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે જેના દ્વારા તમે જાણી શકો છો કે તમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે કે નહીં. આ ઉપરાંત તેને દૂર કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.
નકારાત્મક ઊર્જા જાણવા માટેનો પ્રયોગ
ઘરમાં નેગેટિવ એનર્જી છે કે નહીં તે જાણવા માટે વાસ્તુ શાસ્ત્રમાં એક સરળ પ્રયોગ દર્શાવવામાં આવ્યો છે. આ માટે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે. આ ગ્લાસમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો. ત્યારબાદ પાણીમાં ગુલાબની પાંખડીઓ નાખીને આ ગ્લાસને ઘરના કોઈપણ ખૂણામાં છુપાવીને મૂકી દો. આ ગ્લાસને ૨૪ કલાક સુધી એટલે કે આખો દિવસ ત્યાં જ રહેવા દો. બીજા દિવસે પાણીનો રંગ તપાસો.
પરિણામ શું સૂચવે છે?
જો 24 કલાક બાદ પાણીનો રંગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય તો તેનો અર્થ એ છે કે ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા હાજર છે. આવા સમયે તમારે તેને દૂર કરવા માટે જરૂરી ઉપાયો કરવા જોઈએ. પરંતુ જો પાણીનો રંગ બદલાયો ન હોય તો સમજવું કે ઘરમાં કોઈ નેગેટિવ એનર્જી નથી. તમારી સમસ્યાઓનું કારણ વાસ્તુ દોષ કે અન્ય કોઈ બાબત હોઈ શકે છે.
નેગેટિવ એનર્જી દૂર કરવાના ઉપાયો
1. મીઠાના પાણીના પોતા:
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે પોતું કરતી વખતે પાણીમાં સિંધવ મીઠું (સેંધા નમક) નાખવું જોઈએ. નિયમિત રીતે મીઠાવાળા પાણીથી પોતા કરવાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે.
2. મુખ્ય દ્વારની સફાઈ:
ઘરનો મુખ્ય દરવાજો ઊર્જાના પ્રવેશનું માધ્યમ છે. તેથી મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખવો જોઈએ. અહીં ગંદકી હોવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે.
3. લીંબુ પાણીનો ઉપાય:
પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને ઘરના દરવાજાની કડીઓ અને બારીઓ સાફ કરવી જોઈએ. આ સરળ ઉપાય પણ નકારાત્મકતા દૂર કરવામાં મદદરૂપ થાય છે.
4. મીઠાની પોટલી:
રસોડામાં સવા કિલો આખું મીઠું લાલ કપડામાં બાંધીને કોઈ છુપી જગ્યાએ મૂકી દો. ધ્યાન રાખો કે બહારના કોઈ વ્યક્તિની નજર તેના પર ન પડે. આ ઉપાય પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે.





















