logo-img
Vastu Tips For Plants Dont Make These Mistakes While Planting Plants In Your Home Know The Special Vastu Rules For The Garden

Vastu Tips For Plants : ઘરમાં છોડ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો ગાર્ડન માટેના ખાસ વાસ્તુ નિયમો

Vastu Tips For Plants
Published by: Offbeat Team
| Last Updated: Feb 25, 2026, 07:33 AM IST

અમદાવાદ: આજના આધુનિક સમયમાં લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે બાલ્કની, ટેરેસ કે આંગણામાં નાના-મોટા છોડ અને ગાર્ડન બનાવવાનું પસંદ કરે છે. હરિયાળી માત્ર આંખોને શાંતિ જ નથી આપતી, પરંતુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. જોકે, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં છોડ લગાવતી વખતે દિશા અને પ્રકારનું ધ્યાન રાખવું અત્યંત અનિવાર્ય છે. ખોટી દિશામાં લગાવેલા છોડ પ્રગતિમાં અવરોધ લાવી શકે છે અને આર્થિક નુકસાનનું કારણ પણ બની શકે છે. ચાલો જાણીએ ઘરના ગાર્ડન અને છોડ સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ વાસ્તુ નિયમો.

જ્યોતિષશાસ્ત્રની જેમ જ વાસ્તુશાસ્ત્રનું પણ આપણા જીવનમાં ઘણું મહત્વ છે. માન્યતા છે કે જો ઘર વાસ્તુ મુજબ બનેલું હોય તો ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. ઘણીવાર લોકો શોખ ખાતર કોઈ પણ છોડ ગમે ત્યાં લગાવી દેતા હોય છે, પરંતુ વાસ્તુ અનુસાર દરેક છોડની પોતાની એક ઉર્જા અને ચોક્કસ દિશા હોય છે. જો તમે પણ તમારા ઘરમાં નાનું ગાર્ડન બનાવવાનું વિચારી રહ્યા હોવ, તો નીચે મુજબના નિયમોનું પાલન કરવું જોઈએ.

ઘરમાં છોડ લગાવવાના મુખ્ય વાસ્તુ નિયમો

  • રોપણીનો સમય: વાસ્તુ મુજબ છોડ લગાવતી વખતે નક્ષત્રનું ધ્યાન રાખવું જોઈએ. પૂર્ણિમાના દિવસે છોડ લગાવવા સૌથી શુભ માનવામાં આવે છે.

  • ગાર્ડનમાં રોપણીની રીત: છોડને સીધો જ ગાર્ડનની જમીનમાં રોપવાને બદલે પહેલા તેને કુંડામાં લગાવો. જ્યારે છોડ થોડો મોટો થઈ જાય અને સારી રીતે વિકાસ પામે, ત્યારબાદ તેને ગાર્ડનની માટીમાં શિફ્ટ કરો.

  • તુલસીનો છોડ: દરેક હિન્દુ ઘરમાં તુલસી હોવી જરૂરી છે. વાસ્તુ મુજબ તુલસીને હંમેશા ઉત્તર, ઉત્તર-પૂર્વ (ઈશાન) અથવા પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ.

  • મુખ્ય દ્વાર: ઘરના મુખ્ય દરવાજાની બરોબર સામે ક્યારેય મોટું ઝાડ ન હોવું જોઈએ, કારણ કે તે ઘરની ઉર્જા અને સૂર્યપ્રકાશમાં અવરોધ ઉભો કરે છે.

ઘરની આસપાસ વૃક્ષો લગાવવાના નિયમો

  • દિશાનું મહત્વ: મોટા કદના વૃક્ષો હંમેશા ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. ઉત્તર કે પૂર્વ દિશામાં ભારે વૃક્ષો લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે આ દિશાઓ હલકી અને ખુલ્લી હોવી જોઈએ.

  • છાયડો અને સુરક્ષા: મોટા વૃક્ષોની છાયા ક્યારેય ઘર પર ન પડવી જોઈએ. વળી, મોટા વૃક્ષો ઘરની દીવાલથી દૂર હોવા જોઈએ જેથી તેના મૂળ પાયાને નુકસાન ન પહોંચાડે.

  • સંખ્યા: વાસ્તુ મુજબ મોટા વૃક્ષો હંમેશા બેી સંખ્યા (Even number) માં લગાવવા શુભ માનવામાં આવે છે.

ગાર્ડન અને છોડના પ્રકાર

  • કાંટાવાળા છોડ: ઘરમાં કે ગાર્ડનમાં ક્યારેય થોર (Cactus) કે અન્ય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ. આનાથી નકારાત્મક ઉર્જા વધે છે. (ગુલાબ આમાં અપવાદ છે).

  • વેલાવાળા છોડ: મની પ્લાન્ટ કે અન્ય વેલાને ક્યારેય દીવાલના સહારે ન ચઢાવવા જોઈએ. દીવાલને બદલે કોઈ લાકડી કે અલગ સ્ટેન્ડનો ઉપયોગ કરો.

  • શુભ છોડ: ગાર્ડનમાં લીમડો, નારિયેળ, ચંદન, લીંબુ, દાડમ, આંબા, આમળા અને બિલીપત્ર જેવા છોડ લગાવવા અત્યંત શુભ છે. આ છોડ સકારાત્મકતાને આકર્ષે છે.

  • વડ અને પીપળો: પીપળો કે વડ જેવા પવિત્ર વૃક્ષો ઘરની આંગણે ન હોવા જોઈએ. આવા વૃક્ષો મંદિર અથવા કોઈ પવિત્ર ખુલ્લી જગ્યાએ હોવા વધુ યોગ્ય છે.

પથ્થરનું ગાર્ડન ક્યાં બનાવશો?

જો તમે ગાર્ડનમાં પથ્થરોનો ઉપયોગ કરીને સજાવટ કરી હોય, તો તે હંમેશા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં હોવું જોઈએ, કારણ કે આ દિશા ભારે હોવી વાસ્તુ મુજબ હિતાવહ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now