હિન્દુ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓ છે, જેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ તે બધામાં પ્રથમ આવે છે કારણ કે તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજાયેલા દેવતા માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ જીવનની દરેક અવરોધ દૂર કરે છે. હવે, તેમની સાથે જોડાયેલો સૌથી મોટો તહેવાર આવ રહ્યો છે. ગણેશ ચતુર્થી દરેક ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. તે સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવાનું શરૂ થયું છે. પરંતુ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થી પહેલા ઘરમાંથી અમુક ચીજો ફેંકવી શુભ માવનવામાં આવે છે? તો ચાલો આના વિશે જાણીએ સાથે જ એ પણ જાણીએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી કયા દિવસે ઉજવવામાં આવશે..
ગણેશ ચતુર્થી ક્યારે છે?
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વખતે ભાદ્રપદની ચોથ તિથિ 26 ઓગસ્ટના રોજ આવી રહી છે. તે 27 ઓગસ્ટના બપોરે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી શકે છે. લોકો આ દિવસે પોતાના ઘરોમાં ભગવાન ગણેશની સ્થાપના કરશે. ગણેશ વિસર્જન 6 સપ્ટેમ્બરના રોજ થશે.
ગણેશ ચતુર્થી પહેલા આ વસ્તુઓ ઘરમાંથી દૂર કરો
ગણેશ ચતુર્થી પહેલા, ઘરના મંદિરમાં રાખેલી કોઈપણ તૂટેલી મૂર્તિને દૂર કરો. આવી મૂર્તિ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. ઘરમાંથી નકામી અને તૂટેલી વસ્તુઓ દૂર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. જે વસ્તુઓનું સમારકામ કરી શકાય છે તેનું સમારકામ કરો. નહિંતર, નકામી વસ્તુને તાત્કાલિક દૂર કરો. ગણેશ ચતુર્થી પહેલા તમારા પૂજાઘરને યોગ્ય રીતે સાફ કરો. આ પછી જ, ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી.





















