કહેવાય છે કે, આપણો પરિવાર પસંદ કરવાનું આપણા હાથમાં નથી હોતું પરંતુ મિત્રોને તો આપણે જ પસંદ કરીએ છે. જીવનમાં દોસ્તીનું ખૂબ જ મહત્વ હોય છે. દરેકના જીવનમાં કોઈને કોઈ પડાવ પર મિત્રો તો મળતા જ હોય છે. ઘણીવાર આપણે પરિવારને ન જણાવી શકીએ તેવી વાતો મિત્રોને કહી શકો છો. આવી જ મિત્રતા માટે ચાણક્ય નીતિમાં કેટલીક રોચક વાતો જણાવવામાં આવી છે. ચાણક્ય નીતિ જણાવે છે કે, તેવા પ્રકારના લોકો સાથે મિત્રતા ન કરવી જોઈએ.
સ્વાર્થી લોકોથી રહો દૂર
સ્વાર્થી લોકો સાથે મિત્રતાના મામલામાં પણ સાવચેત રહેવું જોઈએ. આવા લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે. પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. છેવટે, એક મિત્ર હોવાને કારણે, તે તમારી સાથે દગો કરવામાં પણ અચકાશે નહીં. તેથી, સ્વાર્થી લોકોથી અંતર જાળવવું વધુ સારું છે, ચાણક્ય નીતિ કહે છે.
ખરાબ આદતો ધરાવતા મિત્રોથી રહો દૂર
અનેક લોકો કહે છે કે, મિત્રતામાં સારું-ખરાબ નથી જોવાનું હતું. પરંતુ યાદ રાખો કે તમારો મિત્ર ખરાબ આદતો વાળો ન હોવો જોઈએ। મિત્રમાં રહેલી બુરાઈ તમારા સુધી પહોંચી શકે છે અને તમને નુકસાન થઈ શકે છે.
પીઠ પાછળ બોલનાર મિત્રો
તમારી સાથે રહીને પણ કેટલાક મિત્રો તમને દગો આપી શકે છે. તમારી સાથે સારો વ્યવહાર કરવા છતાં, તેઓ બીજાઓ સામે તમારા વિશે ખરાબ બોલી શકે છે. ચાણક્ય નીતિ કહે છે કે આવા લોકોથી પણ સાવધ રહેવું જોઈએ. આવા લોકો પર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. તક મળતાં જ તેઓ તમને નુકસાન પહોંચાડવા તૈયાર છે.
નાસમજ મિત્રો
નાસમજ લોકો પોતાની આસપાસના લોકોને પણ નાસજમ બનાવી દે છે. એવામાં જો તમે એવા મિત્ર સાથે દોસ્તી કરી તો તમે પણ એ જ શ્રેણીમાં આવી જશો. નાસમજ લોકોથી મિત્રતા વિનાશકારી સાબિત થઈ શકે છે.





















