આજેથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં સોમનાથ મહાદેવના મંદિર ખાતે 30 દિવસીય "શિવોત્સવ"ની ભવ્ય શરૂઆત થઈ છે. શ્રાવણ વદ અમાસ, 21 ઑગસ્ટ 2025ના રોજ શિવોત્સવની પૂર્ણાહુતિ થશે. આ દરમ્યાન સોમનાથ ધામ ભજન, ભોજન અને ભક્તિના વિશાળ આયોજનથી જગમગતી ભક્તિધૂન સાથે ગૂંજતું રહેશે.
ભક્તિ અને વ્યવસ્થાનું વિશાળ આયોજન
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવભક્તો માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે:
હજારો યાત્રાળુઓ માટે રહેઠાણ, ભોજન અને દર્શન વ્યવસ્થા ઉપલબ્ધ
માઈક્રો મેનેજમેન્ટ મોડલથી વ્યવસ્થાઓ more efficient
દેશ-વિદેશથી ન આવી શકનારા ભક્તો માટે ઑનલાઈન પૂજા સેવા
ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દર વર્ષે શ્રાવણમાં 10 લાખથી વધુ ભક્તો આવે છે અને આ વર્ષે વધુ ભીડની સંભાવના છે.
દર્શન સમય અને વિશેષ વ્યવસ્થા
સોમવાર અને અમાસના દિવસે મંદિર સવારે 4:00 વાગ્યે ખુલશે
અન્ય દિવસોમાં મંદિર સવારે 5:30 વાગ્યે ખુલશે
શિવરાત્રિ (21-08-2025)ના દિવસે મંદિર રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે
15 ઑગસ્ટ – સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ
સોમનાથ મંદિર ખાતે સરદાર વંદના, ધ્વજવંદન અને મા ભારતી પૂજનનો કાર્યક્રમ યોજાશે
પાલખી યાત્રા – શ્રાવણના પવિત્ર સોમવારોને સમર્પિત
દર સોમવારે, પૂનમ, માસિક શિવરાત્રી, અને અમાસના રોજ સવારે 8:30 વાગ્યે પાલખી યાત્રાનું આયોજન રહેશે. આ યાત્રા શિવભક્તોને વિશેષ આધ્યાત્મિક અનુભવ આપશે.
'વંદે સોમનાથ' કાર્યક્રમ – ભક્તિ અને કલાનું અનોખું મિલન
પ્રથમવાર, શ્રાવણ માસના દર સોમવારે ભવ્ય "વંદે સોમનાથ" કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં:
ભારતનાટ્યમ, કથક, મોહિનીઅટ્ટમ, ઓડિશી નૃત્યોની ભવ્ય રજૂઆત
શિવજીના નટરાજ સ્વરૂપની આરાધના
ગુજરાત પ્રવાસન વિભાગ, સોમનાથ ટ્રસ્ટ, અને IGNCA વડોદરાના સંયુક્ત ઉપક્રમે આયોજન
ચાર સોમવાર માટે 'વંદે સોમનાથ' કાર્યક્રમનું શિડ્યૂલ:
29 જુલાઈ 2025
4 ઑગસ્ટ 2025
11 ઑગસ્ટ 2025
18 ઑગસ્ટ 2025




















