વર્ષ 2026નું પ્રથમ સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા બાદ હવે ખગોળ પ્રેમીઓ અને જ્યોતિષીઓની નજર બીજા સૂર્ય ગ્રહણ પર છે. વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ 12 August 2026 ના રોજ શ્રાવણ માસની અમાસ એટલે કે હરિયાળી અમાસના દિવસે લાગશે. આ દિવસે ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ સૂર્ય ગ્રહણ જેવી મોટી ખગોળીય ઘટનાને કારણે આ દિવસ વધુ ખાસ બની રહેશે. આ એક 'પૂર્ણ સૂર્ય ગ્રહણ' હશે, જેમાં ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે.
ભારતમાં દેખાશે બીજું સૂર્ય ગ્રહણ?
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ ઘટના અત્યંત મહત્વની છે, પરંતુ ભારતના લોકો માટે એક મહત્વની જાણકારી એ છે કે આ ગ્રહણ ભારતીય સમય મુજબ રાત્રે 9:04 કલાકે શરૂ થશે. રાત્રિનો સમય હોવાને કારણે ભારતમાં આ સૂર્ય ગ્રહણ પ્રત્યક્ષ રીતે જોઈ શકાશે નહીં. આ જ કારણ છે કે ભારતમાં આ ગ્રહણનું 'સૂતક કાળ' પણ માન્ય રહેશે નહીં.
વિશ્વના કયા ભાગોમાં જોવા મળશે?
આ પૂર્ણ સૂર્ય ગ્રહણ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળશે, જેમાં આફ્રિકા, યુરોપ, આર્કટિક, સ્પેન, ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશોમાં ગ્રહણ દરમિયાન દિવસના સમયે પણ અંધકાર જેવો માહોલ સર્જાઈ શકે છે.
ગ્રહણ દોષ અને તેની અસરો
જોકે ભારતમાં ગ્રહણ દેખાવાનું નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણની અસરો તમામ રાશિઓ પર જોવા મળતી હોય છે. ગ્રહણ દોષને કારણે જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, જેમ કે:
કુદરતી આપત્તિઓ અને અકસ્માતોનું પ્રમાણ વધી શકે છે.
વૈવાહિક જીવનમાં અસ્થિરતા અને સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવવાની શક્યતા રહે છે.
પિતા સાથેના સંબંધોમાં તણાવ અને નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે.
બચવાના ઉપાયો અને પૌરાણિક માન્યતા ઋગ્વેદમાં સૂર્ય ગ્રહણને અસુર સ્વરભાનુ સાથે જોડવામાં આવ્યું છે, જે પાછળથી રાહુ અને કેતુ તરીકે ઓળખાયા. પૌરાણિક કથાઓ મુજબ, ઋષિ અત્રિએ વિશેષ મંત્રોચ્ચાર દ્વારા આ અંધકારને દૂર કર્યો હતો. ગ્રહણ દોષથી બચવા માટે જાતકોએ દાન-પુણ્ય કરવું જોઈએ અને ભગવાન શિવ અથવા વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ.




















