Home International Russia Assures India Energy Supply Amid Global Fuel Crisis

ઇંધણ સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! : રશિયાએ આપી ઉર્જા પુરવઠો ચાલુ રાખવાની ખાતરી, જાણો વિદેશ પ્રધાન લવરોવે શું કહ્યું

Russia India Energy
Image Credit: http://www.mid.ru/ru/fot
Published by: Suman Dabhi
Last Updated: May 15, 2026, 05:21 AM IST

Russia India Energy: ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકા વચ્ચે વૈશ્વિક ઇંધણ સંકટની સ્થિતિમાં રશિયાએ ભારત માટે મોટી રાહતના સમાચાર આપ્યા છે. રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રશિયા ભારતના ઉર્જા પુરવઠામાં કોઈ વિક્ષેપ પડવા દેશે નહીં.

તેમણે કહ્યું, “હું ખાતરી આપી શકું છું કે રશિયન ઉર્જા પુરવઠા સંબંધિત ભારતના હિતોને કોઈ અસર થશે નહીં. ભારત અને રશિયા વચ્ચેના કરારોને કોઈ અન્યાયી સ્પર્ધા અથવા વિક્ષેપથી નુકસાન ન પહોંચે તે માટે રશિયા તમામ શક્ય પ્રયાસો કરશે.”

લવરોવે વધુમાં ભાર મૂક્યો કે રશિયાએ હંમેશા ભારત સાથેની પોતાની જવાબદારીઓ પૂર્ણપણે નિભાવી છે. ભારતને જરૂરી ઉર્જાના પુરવઠા માટે રશિયા તેલ, ગેસ અને કોલસાની સપ્લાય સતત ચાલુ રાખશે.

આ પણ વાંચો: "અમેરિકા પતન તરફ" : શી જિનપિંગના નિવેદન બાદ ટ્રમ્પે આપી સફાઈ, બાઇડન પર ઢોળ્યો દોષનો ટોપલો!

મહત્વ: આ ખાતરી એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇન અસરગ્રસ્ત થવાની આશંકા છે. ભારત માટે રશિયા અત્યારે સૌથી મોટા તેલ સપ્લાયર્સમાંનો એક છે, અને આ વચનબદ્ધતા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.રશિયા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી વધુ એક વાર મજબૂત બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now