હિંદુ કેલેન્ડર મુજબ, આજે પોષ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ અને શુક્રવારનો દિવસ છે. આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર અને વજ્ર યોગનો સંયોગ છે. દરરોજ ગ્રહનો સ્થિતિ બદલાતી રહેતી હોય છે, જેની સીધી અસર થતી હોય છે, તો ચાલો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ.
મેષ
આ રાશિના જાતકોને ઘરની વસ્તુઓમાં વધારો થશે. જો કે આત્મવિશ્વાસમાં અભાવ રહેશે. કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. ઉપાય માટે આજે સવારે તમારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. અને કૂતરાને ભોજન કરાવો. કોઈપણ ઇજાગ્રસ્ત કૂતરાની સારવાર કરાવો.
વૃષભ
આ રાશિના જાતકોની ભેટ કે સન્માન વધારો થશે. આ સાથે કેટલાક જાતકોના સ્થાન પરિવર્તનની સંભાવના છે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. ધન, યશ અને કીર્તિમાં વધારો થશે. સંબંધોમાં નિકટતા આવશે. વ્યવસાય અને અંગત કામ માટે આજનો દિવસ સારો રહેશે. સવારે કોઈ નાની કન્યાને સફેદ વસ્ત્રોનું દાન કરો અને શનિના બીજ મંત્રનો જાપ કરો.
મિથુન
આ રાશિના જાતકોને મહિલા અધિકારીનો સહયોગ મળશે. વાણીમાં મધુરતા રહેશે. શિક્ષણના પ્રયાસો ફળદાયી રહેશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિ મળી શકે છે. ગાયને લીલો ચારો ખવડાવો. ઘાયલ ગાયને સારવાર આપવામાં આવે તો પણ દિવસ સારો જશે.
કર્ક
આ રાશિના જાતકોને પિતા અથવા ધાર્મિક સંસ્થા સાતે જોડાયેલા લોકોનો સહયોગ મળશે. નોકરીમાં અધિકારીઓ સાથે સુમેળ જાળવો. ભાઈ-બહેન તરફથી તણાવ રહેશે. પ્રવાસ ક્ષેત્રે સ્થિતિ સુખદ અને ઉત્સાહજનક રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહો. ઉપાય માટે સવારે કોઈ ગરીબ વ્યક્તિને દૂધ અથવા લોટનું દાન કરો. શનિબીજ મંત્રનો જાપ કરો.
સિંહ
આ રાશિના જાતકોને રચનાત્મક પ્રયાસો ફળ આપશે. વાણીમાં કઠોરતા આવી શકે છે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. આજીવિકા ક્ષેત્રે આત્મવિશ્વાસ વધશે. કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ કારણ વગર જુબાની આપશો નહીં. ઉપાય માટે કૂતરાઓને ભોજન કરાવો વાંદરાઓને કેળા અથવા ગોળ આપી શકાય.
કન્યા
વ્યવસાયિક અથવા પારિવારિક પ્રતિષ્ઠામાં વધારો થશે. કામમાં રસ વધી શકે છે. સંબંધોમાં નિકટતા આવશે. નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે. તમને સરકાર તરફથી સહયોગ મળશે. લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. સવારે ગાયને ચારો ખવડાવો અને કૂતરાને રોટલી આપો.
તુલા
આ રાશિના જાતકોના આજીવિકાના પ્રયાસો ફળદાયી રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે સંબંધોમાં નિકટતા રહેશે. તમે કોઈ ગરીબ વ્યક્તિને લોટ કે ચોખાનું દાન કરી શકો છો.
વૃશ્ચિક
આ રાશિના જાતકોને મિત્રતાના સંબંધો ગાઢ બનશે. આસપાસ વધુ દોડધામ થશે. તમે તમારા જીવનસાથી તરફથી તણાવ અનુભવી શકો છો. બૌદ્ધિક કૌશલ્યથી કરેલ કાર્ય પૂર્ણ થશે. નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. ઉપાય માટે જો તમે સવારે વાંદરાઓને કેળા અને ગોળ ચણા ખવડાવો તો દિવસ સારો જશે. સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો.
ધનુ
ધન, સન્માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો. સંબંધોમાં નિકટતા આવશે. મહત્વકાંક્ષા પૂર્ણ થશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. ઉપાય માટે સવારે માતા-પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળો. આજે તમારે ગુરુના બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. ઘાયલ ગાયની સારવાર કરો.
મકર
કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. સંતાનની ચિંતા રહેશે. સરકારી સહયોગ પ્રાપ્ત થશે. ઉપાય માટે સવારે શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. સાંજે શનિ મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવો.
કુંભ
પ્રવાસની સ્થિતિ સુખદ રહેશે. મિત્રો તરફથી સહયોગ મળશે. તમને સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવન સુખમય રહેશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. ઉપાય માટે માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે સાંજે શનિ મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવો.
મીન
આજીવિકા માટે ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. વધુ પડતા ગુસ્સો કરવાથી બચો. તમને કોઈ મિત્ર તરફથી તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય અને સંતાનની ચિંતા રહેશે. વેપારમાં વૃદ્ધિ થશે. ગાયને ચાર રોટલીમાં હળદર આપો. જો તમે સવારે કૂતરાને રોટલી આપો તો પણ દિવસ સારો જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)






