પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (PMIS)ના બીજા રાઉન્ડ માટે અરજી પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત 1 લાખથી વધુ યુવાઓને દેશના 730થી વધુ જિલ્લામાં મોટી કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપવામાં આવશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે એક અખબારી યાદીમાં આ માહિતી આપી.
આ યુવાનોને મળશે તક
આ યોજના હેઠળ, 21થી 24 વર્ષની વયના યુવાનોને તક આપવામાં આવશે, જેઓ કોઈ ફૂલ ટાઈમ એકેડિમ પ્રોગ્રામ અથવા નોકરી નથી કરતાં. આ યોજના દ્વારા યુવાનોને તેમની કારકિર્દી શરૂ કરવાની મોટી તક મળે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024-25માં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ બેરોજગાર યુવાનોની કરિયરમાં દિશા આપવાનો અને તેમને રોજગારની યોગ્ય તક આપવાનો છે. સરકારની આ યોજનાનો લાભ દેશના 1 કરોડથી વધુ યુવાનોને મળશે. આ પ્રોજેક્ટ પર 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.
કેવી રીતે અરજી કરવી?
યોજના માટે અરજી કરવા માટે, પહેલા વેબસાઇટ pminternship.mca.gov.in પર જાઓ અને તમારી પ્રોફાઇલ બનાવો. આ પછી, વિવિધ ક્ષેત્રોની કંપનીઓમાં ઈન્ટર્નશિપ માટે અરજી કરો. તમે આ માટે 12 માર્ચ, 2025 સુધી અરજી કરી શકો છો. આ યોજના હેઠળ ઉમેદવારો ત્રણ ઇન્ટર્નશિપ કાર્યક્રમો માટે અરજી કરી શકે છે.
તમને દર મહિને આટલા રૂપિયા મળશે.
તમને 12 મહિના માટે ઇન્ટર્નશિપ કરવાની તક મળશે અને આ દરમિયાન તમને દર મહિને 5000 રૂપિયા પણ મળશે. એટલું જ નહીં, ઈન્ટર્નશિપ પૂરી થયા બાદ તમને 6,000 રૂપિયાની એક રકમ પણ મળશે. ઈન્ટર્નશિપ 2 ડિસેમ્બરથી શરૂ થશે.
ઈન્ટર્ન્સને પણ વીમા કવરેજનો લાભ મળે છે
આ યોજના હેઠળ ઈન્ટર્નને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વીમા કવચ મળશે. આ ઉપરાંત કંપની દ્વારા અલગ એક્સિડેન્ટવીમો પણ આપવામાં આવશે.




















