Vastu Tips: ઘરને સુંદર બનાવવા માટે આપણે ઘણી વસ્તુઓ મૂકીએ છીએ, પરંતુ જો વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર શુભ મૂર્તિઓ પસંદ કરીએ તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, નાણાકીય તંગી દૂર થાય છે અને ભાગ્ય પલટાઈ જાય છે. વાસ્તુ નિષ્ણાતોના મતે આ 5 પવિત્ર મૂર્તિઓ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલ્લા થાય છે.
1. કાચબાની મૂર્તિ – સમૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક
ભગવાન વિષ્ણુના કુર્મ અવતાર સ્વરૂપે પૂજાતો કાચબો ધનલક્ષ્મીના આશીર્વાદ આપે છે. ડ્રોઇંગ રૂમ કે પૂજાસ્થાનમાં પૂર્વ કે ઉત્તર દિશામાં મૂકવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને જીવન સ્થિર બને છે.
2. હાથીની મૂર્તિ – શક્તિ, બુદ્ધિ અને ભવ્યતાનું પ્રતીક
હાથીને ભગવાન ગણેશજી સાથે પણ જોડવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વાર પાસે કે ડ્રોઇંગ રૂમમાં સૂંઢ ઉપર કરેલા હાથીની જોડી રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે, પારિવારિક કલહ ઓછો થાય છે અને સમૃદ્ધિ આવે છે. બેડરૂમમાં ચાંદીનો હાથી રાખવાથી રાહુના દોષમાંથી મુક્તિ મળે છે.
3. ઊંટની મૂર્તિ – પ્રગતિ અને ધૈર્યનું પ્રતીક
વાસ્તુ તથા ફેંગશુઈ બંનેમાં ઊંટને અદ્ભુત માનવામાં આવે છે. ઓફિસ કે ડ્રોઇંગ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં ઊંટની મૂર્તિ રાખવાથી કારકિર્દીમાં અડચણો દૂર થાય છે, અટકેલા કામ પૂરા થાય છે અને વ્યવસાયમાં ઝડપી પ્રગતિ થાય છે.
4. હંસની જોડી – વૈવાહિક સુખ અને પ્રેમનું પ્રતીક
હંસ એકપત્ની વ્રતનું પ્રતીક છે. બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં સુંદર હંસની જોડીની મૂર્તિ રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ગેસ્ટ રૂમમાં રાખવાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
5. ગાયની મૂર્તિ – માં લક્ષ્મીનું સ્વરૂપ, સૌભાગ્યનો ખજાનો
હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. પિત્તળ કે ચાંદીની ગાય-વાછરડાની મૂર્તિ પૂજાસ્થાન કે ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા છવાય છે, સંતાન પ્રાપ્તિના યોગ બને છે અને દરેક પ્રકારનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.આ ૫ મૂર્તિઓને યોગ્ય દિશામાં અને શુદ્ધ મનથી સ્થાપિત કરો, થોડા જ દિવસોમાં તમારા જીવનમાં આવતા ચમત્કાર જુઓ!





















