Home Entertainment Pavitra Rishta Fame Priya Marathe Passes Away At 38 After Battling Cancer

Priya Marathe Passes Away : 'પવિત્ર રિશ્તા' ની ફેમ અભિનેત્રીનું નિધન, કેન્સર સામે હારી જંગ

Priya Marathe Passes Away
Published by: OBS Bureau
Last Updated: Aug 31, 2025, 06:04 AM IST

'પવિત્ર રિશ્તા' ફેમ અભિનેત્રી પ્રિયા મરાઠેનું 31 ઓગસ્ટ 2025 ના રોજ મુંબઈમાં અવસાન થયું. તે છેલ્લા એક વર્ષથી કેન્સર સામે લડી રહી હતી. રવિવારે સવારે 38 વર્ષની ઉંમરે તેને અંતિમ શ્વાસ લીધા. સારવાર છતાં, તે આ રોગમાંથી સ્વસ્થ થઈ શકી નહીં.

પ્રિયા મરાઠે એક ભારતીય ટીવી અભિનેત્રી અને સ્ટેન્ડ-અપ કોમેડિયન હતી. તેમનો જન્મ 23 એપ્રિલ 1987 ના રોજ મુંબઈમાં થયો હતો. તેનું બાળપણ અને શાળાકીય શિક્ષણ ત્યાં જ વિતાવ્યું. કોલેજ પૂર્ણ કર્યા પછી, તેને અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેને પહેલા મરાઠી સીરિયલ 'યા સુખોનોયા' અને પછી 'ચાર દિવસ સાસુચે' થી ટીવી પર ડેબ્યૂ કર્યું.

આ પછી, તેને બાલાજી ટેલિફિલ્મ્સના શો 'કસમ સે' માં વિદ્યા બાલીની ભૂમિકા ભજવી અને પછી 'કોમેડી સર્કસ' ની પહેલી સીઝનમાં જોવા મળી. પ્રિયાને ખરી ઓળખ 'પવિત્ર રિશ્તા' થી મળી. આ ઉપરાંત, તે 2012 માં સોની ટીવીના લોકપ્રિય શો 'બડે અચ્છે લગતે હૈ' માં જ્યોતિ મલ્હોત્રાની ભૂમિકામાં જોવા મળી.

તેના અન્ય ટીવી શોમાં 'તુ તિથે મેં', 'ભાગે રે મન', 'જયસ્તુતે' અને 'ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપ'નો સમાવેશ થાય છે. તેને 'પવિત્ર રિશ્તા'માં વર્ષા સતીશની ભૂમિકા માટે પણ યાદ કરવામાં આવે છે. પ્રિયા મરાઠેએ 2012માં શાંતનુ મોગે સાથે લગ્ન કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now