Home Religion Office Politics Geeta 10 Shlok Career Success

ઓફિસ પોલિટિક્સના શિકાર છો? : શ્રી કૃષ્ણના આ શ્લોક આપે છે અસરકારક માર્ગદર્શન

office politics tips, Bhagavad Gita shlokas
Published by: Vishal Dave
Last Updated: Apr 29, 2026, 03:00 PM IST

આજના કોર્પોરેટ યુગમાં ઓફિસ પૉલિટિક્સ એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે. ગોસિપ, ફેવરિટિઝમ અને માનસિક દબાણ વચ્ચે કર્મચારીઓ ઘણીવાર ગૂંચવાઈ જાય છે. પરંતુ ભગવદ ગીતા ના શાશ્વત જ્ઞાનમાં એવા શક્તિશાળી સૂત્રો છે જે તમને માત્ર બચાવ જ નહીં, પણ જીત પણ અપાવે છે. અહીં અમે દરેક પરિસ્થિતિ સાથે જોડાયેલા મૂળ સંસ્કૃત શ્લોક સાથે સમજાવી રહ્યા છીએ.

આજનું ઓફિસ વાતાવરણ ઘણી વખત મહાભારતના કુરુક્ષેત્ર જેવી જ પરિસ્થિતિ ઉભી કરે છે. અહીં શસ્ત્રો નહીં, પરંતુ શબ્દો અને રાજનીતિનો ખેલ ચાલે છે. આવી પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણના ગીતા ઉપદેશો માર્ગદર્શન આપે છે.

1. ક્રેડિટ ચોરી થાય ત્યારે શું કરવું

શ્લોક:
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

આ શ્લોક જણાવે છે કે તમારો અધિકાર ફક્ત કર્મ પર છે, ફળ પર નહીં. જ્યારે તમે કામ પર ધ્યાન આપો છો, ત્યારે તમારી કિંમત વધે છે.

2. ગોસિપથી બચવાનો રસ્તો

શ્લોક:
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः।
इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता॥

જેમ કચ્છપ પોતાના અંગો સંકોચે છે, તેમ તમને અનાવશ્યક વાતોથી દૂર રહેવું જોઈએ.

3. બોસના વર્તનથી અસંતુલિત ન થવું

શ્લોક:
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्धयसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते॥

સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખવો એ જ સાચી બુદ્ધિ છે.

4. એકલતા અનુભવાય ત્યારે

શ્લોક:
उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः॥

તમારી સૌથી મોટી શક્તિ તમે પોતે જ છો, આ વિશ્વાસ રાખવો જરૂરી છે.

5. મીઠી વાતો પાછળનું ઝેર

શ્લોક:
तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर।
असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः॥

અતિશય લાગણીશીલ જોડાણથી દૂર રહીને પ્રોફેશનલ રહો.

6. ટેલેન્ટને મજબૂત બનાવો

શ્લોક:
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्॥

તમારી કુશળતા જ તમને આગળ લઈ જાય છે.

7. ગુસ્સાથી બચવું

શ્લોક:
क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥

ગુસ્સો નિર્ણય ક્ષમતાને નષ્ટ કરી નાખે છે.

8. સજાગ રહો

શ્લોક:
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च।
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम्॥

સજાગ રહીને તમારા લક્ષ્ય પર ધ્યાન આપો.

9. મેન્ટરની જરૂર

શ્લોક:
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥

સાચી માર્ગદર્શન તમને ભ્રમમાંથી બહાર લાવે છે.

10. ઈમાનદારીનું મહત્વ

શ્લોક:
यतो धर्मस्ततो जयः॥

જ્યાં સત્ય અને ધર્મ છે, ત્યાં જીત છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now