કોઈપણ શુભ પ્રસંગ કે પૂજા માતા લક્ષ્મીની આરાધના વગર અધૂરી ગણાય છે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે માતા લક્ષ્મીનો વાસ હંમેશા આપણા ઘરમાં રહે. પરંતુ, શું તમે જાણો છો કે લક્ષ્મીજીની પૂજામાં 'શંખ' નું આટલું મહત્વ શા માટે છે? આ પાછળ એક સુંદર પૌરાણિક કથા છુપાયેલી છે, જે આપણને ભક્તિ અને સંબંધોની ગહનતા સમજાવે છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર, જ્યારે દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું, ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. આ રત્નોમાં એક સ્વયં માતા લક્ષ્મી હતા અને તેમની સાથે જ સમુદ્રમાંથી 'શંખ' ની પણ ઉત્પત્તિ થઈ હતી. આ જ કારણે શંખને માતા લક્ષ્મીના સગા ભાઈ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં શંખની પૂજા થાય છે અથવા જ્યાં શંખનો નાદ ગુંજે છે, ત્યાં માતા લક્ષ્મી સ્વયં દોડી આવે છે.
કેવી રીતે કરશો માતા લક્ષ્મીનો અભિષેક?
શાસ્ત્રો મુજબ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અભિષેક કરવો એ સર્વોત્તમ રીત છે. અભિષેક માટે હંમેશા દક્ષિણાવર્તી શંખ નો ઉપયોગ કરવો જોઈએ. તેની સંપૂર્ણ વિધિ નીચે મુજબ છે:
સૌ પ્રથમ તાંબા અથવા ચાંદીના પાત્રમાં ગંગાજળ ભરો.
તેમાં કાચું દૂધ, દહીં, ઘી, મધ અને સાકર ભેળવીને પંચામૃત તૈયાર કરો.
દક્ષિણાવર્તી શંખમાં પંચામૃત ભરીને માતા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્ર પર ધીરે-ધીરે અર્પણ કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અભિષેક દરમિયાન આ ગુપ્ત મંત્રનો જાપ કરવો અત્યંત ફળદાયી છે:
'ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह્રીં श्रीं ॐ महालक्ष्म्यै नमः'
પંચામૃત પછી શુદ્ધ ગંગાજળથી ફરી અભિષેક કરો અને ત્યારબાદ માતાને લાલ ચુંદડી તેમજ સૌભાગ્યની સામગ્રી અર્પણ કરો.
શ્રદ્ધા અને પ્રેમથી કરવામાં આવેલો આ અભિષેક માત્ર ઘરની દરિદ્રતા જ દૂર નથી કરતો, પરંતુ માનસિક શાંતિ અને અખૂટ સુખ-સમૃદ્ધિના દ્વાર પણ ખોલે છે.



















