ધરાવે છે. કેટલીક માન્યતાઓ લોકોની આસ્થા સાથે જોડાયેલી છે, તો કેટલીક પરંપરાગત રીતે પેઢી દર પેઢી ચાલી આવે છે. આજે અમે તમને એવી 20 પ્રચલિત માન્યતાઓ વિશે જણાવીશું જે ભારતીય સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઈ છે.
શનિવાર અને કાળા શૂઝ
હિન્દુ શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે કાળા રંગના પગરખાં ખરીદવા કે પહેરવા અશુભ મનાય છે. એવી લોકવાયકા છે કે આનાથી શનિદેવ કોપાયમાન થઈ શકે છે.
અંક 13નો ભય
માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં 13 નંબરને અશુભ માનવામાં આવે છે. આ માન્યતા ખ્રિસ્તી ધર્મના ઇતિહાસ સાથે જોડાયેલી છે, જ્યાં ઈસુના 13માં શિષ્ય જ્યુડાસે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
ચંપલનું ઊંધું હોવું
ઘણીવાર ઘરોમાં ચંપલ કે સેન્ડલ ઊંધા પડેલા હોય તો તેને તરત સીધા કરી દેવામાં આવે છે. માન્યતા છે કે ઊંધા ચંપલ રાખવાથી પરિવારમાં કલેશ, માનસિક તણાવ અને આર્થિક નુકસાન થઈ શકે છે.
આંખનું ફરકવું
ભારતીય સંસ્કૃતિમાં આંખના ફરકવાને ભાગ્ય સાથે જોડવામાં આવે છે. પુરુષો માટે જમણી આંખનું ફરકવું શુભ સંકેત માનવામાં આવે છે, જ્યારે સ્ત્રીઓ માટે ડાબી આંખનું ફરકવું સારા સમાચાર લાવનારું મનાય છે.
કાળી બિલાડીનો રસ્તો કાપવો
જો કોઈ મહત્વના કામે જતી વખતે કાળી બિલાડી રસ્તો કાપે તો લોકો ઉભા રહી જાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી કાર્યમાં વિલંબ થાય છે અથવા વિઘ્ન આવે છે.
ગ્રહણ દરમિયાન સાવધાની
Surya Grahan અથવા Chandra Grahan દરમિયાન તેને નરી આંખે જોવાની મનાઈ હોય છે. આ ખગોળીય ઘટના વખતે શુભ કાર્યો કે ભોજન કરવાનું ટાળવામાં આવે છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાય છે.
તુલસીના પાન ચાવવા નહીં
તુલસીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેના પાનને દાંતથી ચાવવાને બદલે ગળી જવાની પરંપરા છે. વૈજ્ઞાનિક રીતે પણ તુલસીમાં પારો હોવાથી તેને ચાવવાથી દાંતને નુકસાન થઈ શકે છે.
પીપળાના ઝાડનો ડર
રાત્રિના સમયે પીપળાના વૃક્ષ પાસે જવાથી લોકો ડરતા હોય છે. લોકવાયકા મુજબ ત્યાં અતૃપ્ત આત્માઓનો વાસ હોય છે. જોકે, વૈજ્ઞાનિક તર્ક એવો છે કે રાત્રે પીપળો વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ છોડે છે.
અંતિમ સંસ્કાર પછી સ્નાન
સ્મશાનમાંથી આવ્યા બાદ તરત જ સ્નાન કરવાનું વિધાન છે. માન્યતા છે કે આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વિજ્ઞાન મુજબ સ્મશાનમાં બેક્ટેરિયા અને ઈન્ફેક્શનનું જોખમ હોવાથી આ પરંપરા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે.
અરીસાનું તૂટવું
તૂટેલો કાચ ઘરમાં રાખવો કે જોવો અશુભ ગણાય છે. માન્યતા છે કે અરીસો તૂટવાથી આગામી 7 વર્ષ સુધી દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.
સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું
સાંજના સમયે ઘરની સફાઈ કરવાથી મા લક્ષ્મી નારાજ થાય તેવી માન્યતા છે. જૂના જમાનામાં વીજળી ન હોવાથી રાત્રે કચરો વાળતી વખતે કોઈ કિંમતી વસ્તુ બહાર ન ફેંકાઈ જાય તે માટે આ નિયમ બનાવાયો હતો.
રાત્રે નખ કાપવા
સૂર્યાસ્ત બાદ અથવા ગુરુવાર અને શનિવારે નખ કાપવાને અશુભ માનવામાં આવે છે. આ પરંપરા પણ જૂના સમયમાં રાત્રે અજવાળું ઓછું હોવાને કારણે ઈજા ન થાય તે હેતુથી શરૂ થઈ હોઈ શકે છે.
લીંબુ અને 7 મરચાં
ખરાબ નજરથી બચવા માટે લોકો ઘર અને દુકાનના મુખ્ય દરવાજે લીંબુ અને મરચાં લટકાવે છે. આ એક કુદરતી કીટનાશક તરીકે પણ કામ કરે છે જે વાતાવરણને શુદ્ધ રાખે છે.
હથેળીમાં ખંજવાળ
જમણા હાથમાં ખંજવાળ આવે તો તેને ધન લાભનો સંકેત માનવામાં આવે છે, જ્યારે ડાબા હાથમાં ખંજવાળ આવવી એ ધનહાનિની નિશાની ગણાય છે.
બાળકોને કાજલ લગાવવું
નવજાત શિશુને ખરાબ નજરથી બચાવવા માટે ગાલ પર કે કાન પાછળ કાળું ટપકું કે કાજલ લગાવવામાં આવે છે.
કાગડાની અઘાર (બીટ)
જો કોઈ કાગડો ઉડતા ઉડતા તમારા પર અઘાર કરે તો તેને શુભ માનવામાં આવે છે. લોકો માને છે કે આનાથી કોઈ અણધાર્યો લાભ થઈ શકે છે.
ભેટમાં 1 રૂપિયો વધારાનો આપવો
કોઈપણ શુભ પ્રસંગે રોકડ ભેટ આપતી વખતે 100, 500 કે 1000 ના બદલે 101, 501 કે 1101 આપવામાં આવે છે. આ વધારાનો 1 રૂપિયો સમૃદ્ધિનું પ્રતીક મનાય છે.
દહીં અને ખાંડ ખાઈને નીકળવું
કોઈપણ પરીક્ષા કે યાત્રા પર જતા પહેલા દહીં-ખાંડ ખાવાનું શુભ માનવામાં આવે છે. વિજ્ઞાન મુજબ દહીં પેટને ઠંડક આપે છે અને ખાંડ ત્વરિત ઉર્જા પૂરી પાડે છે.
મેના પક્ષીનું દેખાવું
એક મેના દેખાય તો તે અશુભ ગણાય છે, પણ જો જોડીમાં 2 મેના દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે. 6 મેના એકસાથે દેખાવી એ આર્થિક લાભનો સંકેત મનાય છે.
બહાર જતી વખતે પાછળથી બૂમ પાડવી
જ્યારે કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળતી હોય ત્યારે તેને પાછળથી નામ દઈને બોલાવવી કે 'ક્યાં જાઓ છો' તેવું પૂછવું અશુભ માનવામાં આવે છે.





















