વસંત પંચમીના દિવસે જ્ઞાન અને વાણીની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ આ વર્ષે વસંત પંચમી કયા દિવસે આવી રહી છે?
14 જાન્યુઆરી, 2025 થી મહા મહિનાની શરૂઆત થઈ છે અને 12 ફેબ્રુઆરી, 2025 સુધી આ મહિનો ચાલશે. હિંદુ તિથિ મુજબ, મહા મહિનો તેના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનો ખાસ કરીને દેવી સરસ્વતીની પૂજા માટે જાણીતો છે. મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. વસંત પંચમીનો દિવસ જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીને સમર્પિત હોય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા સરસ્વતી આ પવિત્ર દિવસે પ્રગટ થયા હતા, તેથી આ પર્વને સરસ્વતી જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે. આ દિવસને જ્ઞાનની પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને કળાપ્રેમી આ દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરે છે.
વસંતપંચમીની પૂજા
આ ખાસ અવસર પર દરેક ઘરમાં સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે. મંદિરો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિશેષ પૂજા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. લોકો પવિત્ર જળમાં સ્નાન કરે છે, નવા વસ્ત્રો પહેરે છે અને પીળા રંગની વાનગીઓ અર્પણ કરે છે જે વસંતઋતુનું પ્રતીક છે. વસંતપંચમી માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ અને સમૃદ્ધિ સાથેની એકતાનું પ્રતીક પણ છે. આ દિવસથી વસંતઋતુનું આગમન થાય છે જે પ્રકૃતિમાં પ્રતિબિંબ થાય છે.
ક્યારે મનાવાશે વસંતપંચમી?
2 ફેબ્રુઆરી 2025એ વસંત પંચમીનો તહેવાર રવિવારે મનાવવામાં આવશે. મહા મહિનામાં શુક્લપક્ષની પાંચમે સવારે 9 વાગ્યાને 14 મિનિટે પર્વની શરૂઆત થશે અને 3 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાને 52 મિનિટ પર પર્વ પૂર્ણ થશે. ઉદયા તિથિ મુજબ 2 ફેબ્રુઆરીએ જ વસંતપંચમી મનાવાશે
શું કહે છે પૌરાણિક માન્યતાઓ?
પૌરાણિક કથાઓ અનુસાર, માતા સરસ્વતી પ્રત્યેની તેમની ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, શ્રી કૃષ્ણએ તેમને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તેમની વિધિવત પૂજા કરવામાં આવશે. ત્યારથી એ પરંપરા બની ગઈ છે કે દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે અને સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો અને અન્ય કાર્યસ્થળોમાં દેવી સરસ્વતીના પંડાલો શણગારવામાં આવે છે અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે.
સરસ્વતી માતાના પૂજન માટેનું મુહૂર્ત
પંચાંગ અનુસાર આ દિવસે સરસ્વતી પૂજાનું શુભ મુહૂર્ત સવારે 7.09 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12.35 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ભક્તો દેવી સરસ્વતીની પૂજા કરી શકે છે. આ સમય પૂજા, ધ્યાન અને મંત્રોના જાપ માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
પૂજાની પદ્ધતિ શું છે?
વસંતપંચમીના દિવસે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરી પ્રાર્થના કરવી. તે પછી પીળા રંગના કપડાં પહેરો કારણ કે પીળો આ તહેવારનો મુખ્ય રંગ છે જે વસંતના આગમનનું પ્રતીક છે. આ પછી, પૂજા માટે એક બાજૌઠ અથવા વેદી તૈયાર કરો અને તેના પર સ્વચ્છ પીળા કપડા ફેલાવો. તેના પર દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો મૂકો. હવે માતા સરસ્વતીને પીળા વસ્ત્રો અર્પણ કરો.
માતાને પીળા ફૂલ, કેસર અર્પણ કરો
માતાને પીળા ફૂલ, કેસર, હળદર, ચંદન અને અક્ષત અર્પણ કરો. આ તમામ સામગ્રીને શુભ માનવામાં આવે છે અને દેવીને સમર્પિત કરવામાં આવે છે. હવે દેવીને ભોગ ચઢાવો અને ઘીનો દીવો કરો. આ પછી દેવી સરસ્વતીના મંત્રોનો જાપ કરવો જોઈએ. મંત્રનો જાપ કર્યા પછી હાથમાં દીવો લઈને દેવીની આરતી કરો. આરતી પછી ભક્તોમાં પ્રસાદ વહેંચો. વસંત પંચમીની આ પૂજા પદ્ધતિ સરળ છે પરંતુ તે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે કરવી જોઈએ.
માતા સરસ્વતીની આરતી
जय
सरस्वती माता, मैया जय सरस्वती माता.
सद्गुण, वैभवशालिनि, त्रिभुवन
विख्याता ..जय....
चन्द्रवदनि, पद्मासिनि
द्युति मंगलकारी.
सोहे हंस-सवारी, अतुल
तेजधारी.. जय...
बायें कर में वीणा, दूजे
कर माला.
शीश मुकुट-मणि सोहे, गले
मोतियन माला ..जय....
देव शरण में आये, उनका
उद्धार किया.
पैठि मंथरा दासी, असुर-संहार
किया..जय....
वेद-ज्ञान-प्रदायिनी, बुद्धि-प्रकाश
करो..
मोहज्ञान तिमिर का सत्वर नाश करो..जय....
धूप-दीप-फल-मेवा-पूजा स्वीकार करो.
ज्ञान-चक्षु दे माता, सब
गुण-ज्ञान भरो..जय....




















