Home National Haridwar Water Tank 27 Snake Babies Rescue

હરિદ્વારમાં ઘરની ટાંકીમાંથી મળ્યા 27 સાપના બચ્ચાં : પરિવાર ચોંકી ઉઠ્યો, વન વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ

ટાંકીમાં રહેલા 27 સાપની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Jun 09, 2026, 01:30 PM IST

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં એક ચોંકાવનારી અને અવિશ્વસનીય ઘટના સામે આવી છે, જ્યાં એક રહેણાંક મકાનની પાણીની ટાંકીમાંથી એક-બે નહીં પરંતુ 27 સાપના બચ્ચાં મળી આવ્યા હતા. ખાસ વાત એ છે કે પરિવાર છેલ્લા ઘણા દિવસોથી આ જ ટાંકીનું પાણી ઘરેલુ ઉપયોગ માટે વાપરી રહ્યો હતો. જ્યારે પરિવારના સભ્યોએ ટાંકીની અંદર નજર કરી ત્યારે તેમને અનેક સાપના બચ્ચાં તરતા અને રેંગતા જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈ સમગ્ર પરિવારમાં ભય અને ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઘટના હરિદ્વારના જ્વાલાપુર વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. બાદમાં વન વિભાગની ટીમ અને સ્નેક કેચર્સે સ્થળ પર પહોંચી સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામ સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે? : હવે માત્ર બે કલાકમાં પહોંચાશે અમદાવાદથી મુંબઈ, જલ્દી જાહેર થશે બજેટ ફ્રેન્ડલી ભાડું

ટાંકીમાં નજર કરતાં સામે આવ્યું ચોંકાવનારું દૃશ્ય

મળતી માહિતી મુજબ, પરિવારના સભ્યો રોજની જેમ પાણીની ટાંકી તપાસી રહ્યા હતા ત્યારે તેમની નજર ટાંકીની અંદર પડી હતી. શરૂઆતમાં તેમને કંઈક હલનચલન થતું દેખાયું હતું. નજીકથી ધ્યાનપૂર્વક જોતા ખબર પડી કે ટાંકીની અંદર અનેક નાના સાપ રેંગી રહ્યા છે.

આ દૃશ્ય જોતા જ પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા. એક જ ટાંકીમાં આટલી મોટી સંખ્યામાં સાપના બચ્ચાં જોવા મળતાં તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમને સમજાતું નહોતું કે આ બચ્ચાં ટાંકીમાં કેવી રીતે પહોંચ્યા અને કેટલા સમયથી ત્યાં હતા. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. ટાંકીની અંદર ખરેખર સાપના બચ્ચાં હોવાનું નિહાળી લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ પણ વાંચો: આખરે રૂ.370ની બિરયાનીમાં એવું શું હતું કે આખું ઇન્ટરનેટ ભડકી ઉઠ્યું? : જાણો પ્રણીતના શોથી શરૂ થયેલો આ વિવાદ શું છે, અને અત્યાર સુધી શું શું થયું...

વન વિભાગને કરાઈ જાણ

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને અનુભવી સ્નેક કેચર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેસ્ક્યૂ કામગીરી દરમિયાન વિશેષ સાવચેતી રાખવામાં આવી હતી. કારણ કે ટાંકીની અંદર રહેલા તમામ સાપના બચ્ચાંને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના બહાર કાઢવા પડકારજનક કામગીરી હતી. સ્નેક કેચર તાલિબ અને ભોલાએ લાંબા સમય સુધી મહેનત કરીને એક પછી એક સાપના બચ્ચાંને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

કુલ 27 સાપના બચ્ચાં મળ્યા

વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ દરમિયાન કુલ 27 સાપના બચ્ચાં મળી આવ્યા હતા. તમામ બચ્ચાંને જીવિત હાલતમાં સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યા હતા. વન વિભાગના રેન્જ અધિકારી શીશપાલ સિંહે જણાવ્યું હતું કે તમામ સાપના બચ્ચાંને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. હાલમાં આ બચ્ચાં કઈ જાતિના હતા તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણી વખત વરસાદી મોસમ અથવા ભેજવાળા વિસ્તારોમાં સાપો સુરક્ષિત સ્થળ શોધતા હોય છે. શક્ય છે કે કોઈ માદા સાપે ટાંકીની આસપાસ ઈંડાં મૂક્યાં હોય અને બાદમાં તેમાંથી બચ્ચાં બહાર આવ્યા હોય.

આ પણ વાંચો: 30 વર્ષથી લટકેલાં હતા...હોર્મુઝના ભરોસે ક્યાં સુધી? : ગુજરાતથી ઓમાન સુધી અરબ સાગરને પાર 2,000 કિમીની અંડર-સી ગેસ પાઇપલાઇન નાંખવાની ભારતની યોજના

પરિવારને નહોતી કોઈ જાણ

આ ઘટનાનો સૌથી ચોંકાવનારો પાસો એ છે કે પરિવાર લાંબા સમયથી ટાંકીનું પાણી ઉપયોગમાં લઈ રહ્યો હતો, પરંતુ તેમને અંદર સાપના બચ્ચાં હોવાની કોઈ જાણ નહોતી. સ્થાનિક લોકોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે આટલી મોટી સંખ્યામાં સાપના બચ્ચાં ટાંકીમાં કેવી રીતે પહોંચ્યા. કેટલાક લોકોનું માનવું છે કે ટાંકીનું ઢાંકણું ખુલ્લું રહ્યું હશે અથવા કોઈ નાની તિરાડ મારફતે સાપ અંદર પ્રવેશ્યો હશે. આ ઘટના બાદ લોકો પોતાના ઘરની પાણીની ટાંકીઓ અને અન્ય બંધ જગ્યાઓની નિયમિત તપાસ કરવાની જરૂરિયાત અંગે ચર્ચા કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now