અંકશાસ્ત્ર અનુસાર, હનુમાનજીનો પ્રિય મુલાંક 9 છે. 9 નંબરનો અધિપતિ ગ્રહ મંગળ છે. મંગળ ગ્રહ બજરંગબલી સાથે સંબંધિત છે. આ તિથિઓમાં જન્મ લેનાર લોકો પર હનુમાનજીની કૃપા હંમેશા રહે છે.
જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 અને 27 તારીખે થયો હોય, તેમનો મૂળાંક નંબર 9 છે. એટલે કે 1+8=9, એ જ રીતે 2+7=9. આ ત્રણ તારીખે જન્મેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
9 નંબર વાળા લોકો ખૂબ જ શક્તિશાળી અને નીડર હોય છે. જો તમારો નંબર 9 છે અથવા તમારો જન્મ 9, 18 કે 27 તારીખે થયો છે તો તમારે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
9 નંબર વાળા લોકો ક્યારેય કોઈ વ્યક્તિથી ડરતા નથી. આવા લોકો ખૂબ જ હિંમતવાન હોય છે. તેઓ દરેક કાર્યને સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે પૂર્ણ કરે છે અને સારા હોદ્દા પર કામ કરે છે.
જો તમે પણ હનુમાનજીની કૃપા મેળવવા માગો છો તો મંગળવાર અને શનિવારે નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરો.
હનુમાનજીની નિયમિત પૂજા કરો. મંગળવારે હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચઢાવો.




















