આજે હનુમાન જયંતિનો પવિત્ર પર્વ છે. દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે આ પર્વને ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે, જેમને ભગવાન રામના સૌથી મોટા ભક્ત અને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, દર વર્ષે આ તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે, મંદિરોમાં પૂજા કરે છે અને અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિભાવથી કેસરીનંદનની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-શાંતિનો માર્ગ ખુલે છે.
હનુમાનજીની પૂજાનો મંત્ર
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये॥
महाबलाय वीराय चिरंजीविन उद्दते
हारिणे वज्रदेहाय चोलंघितमहाव्यये॥
ॐ ह्रां ह्रीं ह्रं ह्रैं ह्रौं ह्रः हं
હનુમાનજીની પૂજાનું શુભ મુહૂર્ત
શુભ - ઉત્તમ: સવારે 07:35થી 09:10 સુધી
લાભ - ઉન્નતિ: 01:58 PMથી 03:34 PM
અમૃત - શ્રેષ્ઠ: 03:34 PMથી 05:09 PM
અભિજીત મુહૂર્ત - સવારે 11:56થી બપોરે 12:48 સુધી
બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:29થી 05:14 સુધી




















