Guru Margi 2026: ગુરુ (બૃહસ્પતિ) હાલમાં મિથુન રાશિમાં વક્રી ગતિમાં છે અને આશરે 120 દિવસ પછી, એટલે કે 11 માર્ચ 2026ના રોજ સીધી (માર્ગી) ગતિમાં આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને જ્ઞાન, ધર્મ, શિક્ષણ, ધન, સંતાન, વૃદ્ધિ અને દેવગુરુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગુરુ વક્રીમાંથી સીધો થાય છે, ત્યારે તેની શુભ ઊર્જા વધુ મજબૂત બને છે અને કેટલીક રાશિઓને ખાસ લાભ મળે છે.આ વખતે ગુરુની સીધી ગતિ વૃષભ, સિંહ અને મીન રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. આ રાશિઓને નાણાકીય લાભ, કારકિર્દીમાં પ્રગતિ, પરિવારમાં સુખ-શાંતિ અને અટકેલા કાર્યોમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા છે.
વૃષભ રાશિ
ગુરુની માર્ગી ગતિ વૃષભ રાશિ માટે ધન-સંપત્તિનો દરવાજો ખોલશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, અટકેલા પૈસા પરત મળશે અને બચતમાં વધારો થશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારી વાણી મધુર બનીને લોકોને આકર્ષિત કરશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે. નાણાકીય સુધારો થશે, ઇચ્છાઓ પૂર્ણ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા થશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને મહેનતનું ફળ મળશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાની સંભાવના છે, તેમજ માતા-પિતાનો સહયોગ મળશે.
મીન રાશિ
મીન રાશિના લોકોનું નસીબ 11 માર્ચથી ચમકવા લાગશે. વાહન કે મિલકત ખરીદવાની તકો મળશે, કારકિર્દીમાં ઉત્તમ પરિણામો આવશે અને નોકરી-વ્યવસાયમાં સારો નફો થશે. પૈસાની કમી રહેશે નહીં, અધૂરી ઇચ્છાઓ પૂર્ણ થશે અને વિદેશમાં નોકરી કે સેટલમેન્ટની મજબૂત શક્યતા છે.
આ ગુરુ માર્ગીનો લાભ લેવા માટે ગુરુવારે ગુરુની પૂજા, કીળા દાન અને પીળા વસ્ત્ર પહેરવા જેવા ઉપાય કરી શકો છો.





















