Home Gujarat Ahmedabad Gujarat Rain Forecast Fishermen Warning 13 14 July

અમદાવાદમાં વરસાદની આગાહી : જાણો આગામી દિવસોમાં કેવું રેહશે વાતાવરણ

Rain forecast in Ahmedabad
Image Credit: Pinterest
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 13, 2026, 10:39 AM IST

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, હાલ મોન્સૂન ટ્રફ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ બની છે. ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો પણ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડવાની પણ શક્યતા છે. જોકે, ભારે વરસાદની વ્યાપક આગાહી કરવામાં આવી નથી.

વરસાદની અછત વચ્ચે તાપમાનમાં વધારો

છેલ્લા કેટલાક દિવસોથી અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ ન પડતાં ગરમીનો અનુભવ વધી રહ્યો છે. 12 July ના રોજ સુરેન્દ્રનગર 37.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જ્યાં વરસાદ ઓછો રહેશે ત્યાં આગામી દિવસોમાં તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલન મુદ્દે AAPના ભાજપ પર પ્રહાર | નીતિન પટેલના નિવેદન બાદ ગોપાલ ઈટાલીયાએ સાંધ્યું નિશાન | Offbeat Stories

દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી

હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. 13 અને 14 July દરમિયાન દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આ બંને દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં જવા માટે હવામાનની સ્થિતિ અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

શું રાખવું ધ્યાનમાં?

હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે હોવાથી લોકોને બહાર નીકળતા પહેલાં સ્થાનિક હવામાનની માહિતી તપાસવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારોએ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now