Fridge Vastu: આજકાલ લગભગ દરેક ઘરમાં ફ્રિજ માત્ર રસોડાનું ઉપકરણ નથી રહ્યું, પરંતુ હોમ ડેકોરનો એક ભાગ બની ગયું છે. લોકો ફ્રિજ પર રંગીન મેગ્નેટ્સ, ટ્રાવેલ સ્ટિકર્સ અને કાર્ટૂન ઇમોજી લગાવીને તેને આકર્ષક બનાવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ નાની લાગતી વસ્તુઓ ઘરની ઊર્જા, સુખ-શાંતિ અને આર્થિક સ્થિતિ પર સીધી અસર કરી શકે છે. ખાસ કરીને કેટલીક પ્રકારની તસવીરો અને તૂટેલા મેગ્નેટ્સ નકારાત્મક ઊર્જાને આમંત્રિત કરે છે એવી માન્યતા છે.
ફ્રિજ અને મેગ્નેટ્સ પાછળ શું કહે છે વાસ્તુ?
વાસ્તુ શાસ્ત્રમાં રસોડાને ઘરની સૌથી પવિત્ર જગ્યા માનવામાં આવે છે કારણ કે અહીંથી આખા પરિવારના આરોગ્ય અને ઉર્જાનો સંબંધ હોય છે. ફ્રિજને આધુનિક “અન્ન ભંડાર” તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં તેના પર લગાવવામાં આવતી વસ્તુઓ પણ ઘરના વાતાવરણ પર અસર કરે છે એવી માન્યતા છે.
વાસ્તુ અનુસાર મેટલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાહુ અને શનિ સાથે જોડાયેલા માનવામાં આવે છે. જ્યારે ફ્રિજ પર મેગ્નેટ્સ લગાવવામાં આવે છે ત્યારે તે આસપાસની ઊર્જાને સક્રિય બનાવે છે. જો મેગ્નેટ્સમાં નકારાત્મક ચિહ્નો, હિંસક તસ્વીરો અથવા તૂટેલી વસ્તુઓ હોય તો ઘરમાં કલહ, માનસિક તણાવ અને આર્થિક અસ્થિરતા વધી શકે છે.
આવા મેગ્નેટ્સ તરત હટાવો
હિંસક પ્રાણીઓ અથવા યુદ્ધની તસવીરો
શેર, ચિત્તા, હથિયાર અથવા યુદ્ધ દર્શાવતા મેગ્નેટ્સ ઘરમાં આક્રમકતા વધારતા હોવાનું માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આવા ચિહ્નો પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સો અને મતભેદ વધારી શકે છે.
ઉદાસ ચહેરા અને નેગેટિવ ઇમોજી
ઘણા લોકો ફંકી દેખાવ માટે ઉદાસ અથવા અજીબ ચહેરાવાળા મેગ્નેટ્સ લગાવે છે. પરંતુ વાસ્તુ મુજબ રસોડાની આસપાસ આવી નકારાત્મક આકૃતિઓ માનસિક તણાવ અને નિરાશા વધારી શકે છે.
કાંટાવાળા છોડ અથવા કેક્ટસ
કેક્ટસ અને સુકાયેલા વૃક્ષોની તસવીરો વિકાસમાં અવરોધ લાવે છે એવી માન્યતા છે. ખાસ કરીને બાળકોના અભ્યાસ અને કરિયરમાં અટકાણ આવી શકે છે.
તૂટેલા અથવા ચટકેલા મેગ્નેટ્સ
વાસ્તુમાં તૂટેલી વસ્તુઓને અશુભ માનવામાં આવે છે. તૂટેલો મેગ્નેટ ઘરમાં નકારાત્મક ઊર્જા અને અચાનક આર્થિક નુકસાનનું કારણ બની શકે છે એવી માન્યતા વ્યક્ત કરવામાં આવે છે.
ફ્રિજને કબાટ ન બનાવો
ઘણા લોકો ફ્રિજ પર દવાઓ, ચાવીઓ, જૂના બિલ્સ અથવા અનાવશ્યક સામાન રાખતા હોય છે. વાસ્તુ માન્યતાઓ મુજબ ફ્રિજની ઉપર વધારે કચરો અથવા બિનજરૂરી વસ્તુઓ રાખવી યોગ્ય માનાતી નથી. તે ઊર્જાના પ્રવાહને અવરોધે છે અને ઘરમાં અસ્થિરતા વધારી શકે છે.
ફ્રિજને વધુ ભરેલો રાખવો અથવા ગંદો રાખવો પણ નકારાત્મકતા સાથે જોડાય છે. સ્વચ્છ અને વ્યવસ્થિત ફ્રિજને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.
ફ્રિજ કઈ દિશામાં રાખવો જોઈએ?
વાસ્તુ નિષ્ણાતો મુજબ ફ્રિજ માટે દક્ષિણ-પૂર્વ, પશ્ચિમ અથવા ઉત્તર દિશા યોગ્ય માનવામાં આવે છે. ઉત્તર-પૂર્વ દિશામાં ફ્રિજ રાખવાનું ટાળવું જોઈએ કારણ કે તે માનસિક તણાવ અને આર્થિક અવરોધ સાથે જોડાય છે એવી માન્યતા છે.
ફ્રિજને દીવાલ સાથે સંપૂર્ણ ચોંટાડીને રાખવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. થોડી જગ્યા છોડવાથી હવાની અવરજવર અને ઊર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે.
કયા મેગ્નેટ્સ શુભ માનવામાં આવે છે?
વાસ્તુ અનુસાર કેટલાક પ્રકારના મેગ્નેટ્સ સકારાત્મકતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે:
શુભ-લાભ, સ્વસ્તિક અથવા સકારાત્મક સંદેશાવાળા મેગ્નેટ્સ
ફળ, લીલા શાકભાજી અથવા અનાજની તસવીરો
સ્માઈલિંગ ફેસ અને કુદરતી દૃશ્યો
તિતલી, હરિયાળી અથવા શાંતિ દર્શાવતી આકૃતિઓ
આવી વસ્તુઓ પરિવારના સભ્યો વચ્ચે સકારાત્મકતા અને સુમેળ વધારતી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: કમાણી છતાં પૈસા નથી ટકતા? : વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયો બદલશે નસીબ, અપનાવતાં જ દેવું થશે દૂર અને વરસશે પૈસા!
ઇન્ટિરિયર ડેકોરેશન અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ
ઘણા લોકો ઇન્ટિરિયર ડેકોરેશન અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સને અનુસરીને ઘરમાં અલગ પ્રકારના મેગ્નેટ્સ અને સ્ટિકર્સ લગાવતા થયા છે. પરંતુ વાસ્તુ સંબંધિત માન્યતાઓ ભારતમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો માટે મહત્વ ધરાવે છે. ખાસ કરીને રસોડું, ફ્રિજ અને અન્ન સાથે જોડાયેલી બાબતોને શુભ-અશુભ સાથે જોડવામાં આવે છે.
આ કારણોસર ફ્રિજ ડેકોરેશન જેવા સામાન્ય લાગતા વિષય પર પણ લોકોમાં રસ વધ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફ્રિજ વાસ્તુ અને રસોડા સંબંધિત ટિપ્સ વાયરલ થઈ રહી છે.





