Home Religion Do Not Give These 4 Things To Your Daughter At Her Sendoff It Can Put A Damper On Your Married Life

દીકરીની વિદાય વખતે શું ન આપવું જોઈએ? : તમારી લાડલીની વિદાય સમયે આ 4 વસ્તુઓ ભૂલથી પણ ના આપો, સુખી લગ્ન જીવન થઈ જશે તહસનહસ!

દીકરીની વિદાય વખતે શું ન આપવું જોઈએ?
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2025, 05:12 AM IST

Unlucky Gifts for Bridal: મકરસંક્રાંતિ પછી શુભ કાર્યોની શરૂઆત થઈ ગઈ છે. ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન માટે ઘણી શુભ મુહર્તો છે. શુભ મુહર્તોમાં લગ્ન વિવાહ કરાવવામાં આવશે. લગ્નના વરઘોડા શેરીઓ અને મહોલ્લાઓમાંથી પસાર થશે. દીકરીઓ પાલખીમાં બેસીને પિતાના આંગણામાંથી વિદાય લેશે. હિન્દુ ધર્મમાં પિતા પોતાની પુત્રીને વિદાય આપતી વખતે પોતાની ક્ષમતા મુજબ ભેટ પણ આપે છે. પણ શું તમે જાણો છો કે દીકરીને તેના વિદાય સમયે ચાર વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ. ચાલો જાણીએ દીકરીની વિદાય વખતે શું ન આપવું જોઈએ.

સાવરણી
ધાર્મિક માન્યતા અનુસાર ધનની દેવી લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે, પણ દીકરીના વિદાય સમયે ક્યારેય સાવરણી ન આપવી જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી દીકરીના વૈવાહિત જીવનમાં અનેક મુશ્કેલીઓ પડે છે. પતિની સાથે વાત વાતમાં ઝઘડાઓ થતા રહે છે. એવામાં દીકરીની વિદાય વખતે ક્યારેય સાવરણી આપવી જોઈએ નહીં.

ચાળણી
વિદાય સમયે ભૂલથી પણ દીકરીને લોટની ચાળણી ન આપવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો દીકરીને વિદાય સમયે ચાળણી આપવામાં આવે તો તેનું લગ્નજીવન મુશ્કેલીઓથી ઘેરાય જાય છે. પતિ સાથે નાની-નાની વાત પર ઝઘડો અને તકરાર થાય છે. દીકરીને વિદાય દરમિયાન ચાળણી ન આપવી જોઈએ.

અથાણાં
શાસ્ત્રો અનુસાર દીકરીના વિદાય સમયે ભૂલથી પણ અથાણું ન આપવું જોઈએ. આ સંદર્ભમાં એવું માનવામાં આવે છે કે અથાણાનો સ્વાદ ખાટો હોય છે. તેથી દીકરીને તેની વિદાય વખતે તે આપવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આનાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે.

તીક્ષ્ણ વસ્તુઓ
તમારી દીકરીને વિદાય સમયે ક્યારેય સોય કે તીક્ષ્ણ વસ્તુ ન આપો. વિદાય સમયે બહેન કે દીકરીને સોય આપવાથી સંબંધોમાં મીઠાશને બદલે કડવાશ આવે છે. એવામાં તમારી બહેન કે દીકરી જ્યારે જઈ રહી હોય ત્યારે તેમને અણીદાર વસ્તુઓ ન આપો. આવું કરવું અશુભ માનવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ઓફબીટ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now