Chaitra Navratri 2026: હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં શક્તિની ઉપસનાનું વિશેષ મહાત્મય દર્શાવાયું છે. એમાંય નવરાત્રિમાં નવ દિવસ નવદુર્ગાની આરાધના કરીને શક્તિની સાચી આરાધના કરવાની હોય છે. હિન્દુ ધર્મમાં કુલ ચાર પ્રકારની નવરાત્રિ હોય છે. ચૈત્ર, અષાઢ, અશ્વિન (શારદીય) અને માઘ આ ચાર પ્રકારની નવરાત્રિ વર્ષ દરમિયાન ઉજવાય છે. જેમાં ચૈત્રિ નવરાત્રિનું સૌથી વિશેષ મહત્ત્વ છે. કારણકે, ચૈત્રિ નવરાત્રિને હિન્દુ ધર્મની સૌથી મોટી નવરાત્રિ માનવામાં આવે છે. ચૈત્રિ નવરાત્રિ હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક અને જ્યોતિષ માન્યતા મુજબ આ સમય શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક શુદ્ધિનો સમય છે. હિંદુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસોમાં ઉપવાસ રાખે છે, જાપ-પાઠ અને પૂજા કરે છે. માનવામાં આવે છે કે ચૈત્રિ નવરાત્રિ દરમિયાન સાચી શ્રદ્ધાથી માતા દુર્ગાની આરાધના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. સાથે જ ચૈત્ર મહિનાથી હિંદુ નવવર્ષની શરૂઆત પણ માનવામાં આવતી હોવાથી આ તહેવાર નવી શરૂઆત અને સકારાત્મક ઊર્જાનું પ્રતિક છે.
વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ઉજવવામાં આવશે. આ નવ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને અંતે દુર્ગા નવમીના દિવસે વિશેષ પૂજા, હવન અને કન્યાપૂજન કરવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ 2026 ઘટસ્થાપના તારીખ અને મુહૂર્ત:
ચૈત્ર નવરાત્રિનો આરંભ ઘટસ્થાપના (કલશ સ્થાપના) થી થાય છે. આ વિધિ દેવી શક્તિનું આવાહન માનવામાં આવે છે. આ વખતે 19 માર્ચ 2026, ગુરુવારના રોજ ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થશે. જેમાં સવારે 06:52 થી 07:43 સુધી ઘટસ્થાપના મુહૂર્ત કરવામાં આવશે. જ્યારે બપોરે 12:05 થી 12:53 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. જ્યોતિષ મુજબ આ સમયમાં કલશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શુભ શક્તિનો પ્રવેશ થાય છે.
માતાજીના કયા સ્વરૂપને ગમે છે કયો રંગ?
ચૈત્રિ નવરાત્રિના દરેક દિવસે દેવીના અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ સાથે એક ખાસ શુભ રંગ પણ જોડાયેલો હોય છે.
નવરાત્રિનો પહેલો દિવસઃ 19 માર્ચ 2026, ગુરુવાર
દેવી: શૈલપુત્રી
શુભ રંગ: પીળો
આ દિવસ શક્તિ અને સ્થિરતાનું પ્રતિક માનવામાં આવે છે.
નવરાત્રિનો બીજો દિવસઃ 20 માર્ચ 2026, શુક્રવાર
દેવી: બ્રહ્મચારિણી
શુભ રંગ: લીલો
આ દિવસ તપ, સંયમ અને ભક્તિનું પ્રતિક છે.
નવરાત્રિનો ત્રીજો દિવસઃ 21 માર્ચ 2026, શનિવાર
દેવી: ચંદ્રઘંટા
શુભ રંગ: રાખોડી
દેવી ચંદ્રઘંટાની આરાધનાથી ભય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
નવરાત્રિનો ચોથો દિવસઃ 22 માર્ચ 2026, રવિવાર
દેવી: કુષ્માંડા
શુભ રંગ: નારંગી
આ દેવીને સૃષ્ટિ સર્જન કરનાર માનવામાં આવે છે.
નવરાત્રિનો પાંચમો દિવસઃ 23 માર્ચ 2026, સોમવાર
દેવી: સ્કંદમાતા
શુભ રંગ: સફેદ
માતા સ્કંદમાતાની પૂજા શાંતિ અને માતૃત્વનું પ્રતિક છે.
નવરાત્રિનો છઠ્ઠો દિવસઃ 24 માર્ચ 2026, મંગળવાર
દેવી: કાત્યાયની
શુભ રંગ: લાલ
લાલ રંગ શક્તિ, સાહસ અને ઉર્જાનું પ્રતિક છે.
નવરાત્રિનો સાતમો દિવસઃ 25 માર્ચ 2026, બુધવાર
દેવી: કાલરાત્રી
શુભ રંગ: રોયલ બ્લુ
દેવી કાલરાત્રી દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર માનવામાં આવે છે.
નવરાત્રિનો આઠમો દિવસઃ 26 માર્ચ 2026, ગુરુવાર
દેવી: મહાગૌરી
શુભ રંગ: ગુલાબી
આ દિવસે ભક્તો અષ્ટમી પૂજા અને કન્યાપૂજન કરે છે.
નવરાત્રિનો નવમો દિવસઃ 27 માર્ચ 2026, શુક્રવાર
દેવી: સિદ્ધિદાત્રી
શુભ રંગ: જાંબલી
આ દિવસ દુર્ગા નવમી તરીકે ઉજવવામાં આવે છે અને દેવી પાસેથી સિદ્ધિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની માન્યતા છે.
શું છે ચૈત્ર નવરાત્રિનું ધાર્મિક મહત્વઃ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્ર માસથી હિંદુ નવવર્ષની શરૂઆત માનવામાં આવે છે. તેથી આ નવ દિવસ આધ્યાત્મિક શુદ્ધિ અને નવી શરૂઆત માટે અત્યંત શુભ ગણાય છે. ભક્તો ઉપવાસ રાખે છે, દેવી દુર્ગાની પૂજા કરે છે અને નવ દિવસ સુધી મંદિર તથા ઘરમાં ભજન-કીર્તન કરે છે. એવું માનવામાં આવે છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન સાચી ભક્તિથી કરેલી પૂજા જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા લાવે છે. આ સમય આત્મશક્તિ અને સકારાત્મક ઊર્જાને વધારવાનો પણ ઉત્તમ અવસર માનવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ 2026 માં 19 માર્ચથી 27 માર્ચ સુધી ઉજવાશે. ઘટસ્થાપનાથી શરૂ થતી આ નવ દિવસની ઉજવણીમાં દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને દરેક દિવસ સાથે એક ખાસ શુભ રંગ જોડાયેલો છે. ભક્તો માટે આ સમય ભક્તિ, શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિનો મહત્વપૂર્ણ તહેવાર છે.




















