સૂર્ય દેવનું સ્થાન અને દિશા પૂર્વ માનવામાં આવી છે. આ જ કારણ છે કે ઘરનું મુખ્ય દ્વાર સૂર્ય દિશામાં હોવાનું શુભ માનવામાં આવે છે. આ સાથે ઘરમાં સૂર્યનો પ્રકાશ સારી રીતે આવવો જોઈએ. જેનાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે અને ઘરનું વાતાવરણ ખુશહાલ બની રહે છે. અને સૂર્ય દેવને પ્રસન્ન કરવાના ઉપાયો ખૂબ જ સરળ છે. જે આપણે અહીં જાણી શકીએ છે.
સૂર્ય દેવની પ્રતિમા કે ચિત્ર
ઘરમાં સૂર્ય ભગવાનની પ્રતિમા અથવા ચિત્ર રાખવું પણ શુભ માનવામાં આવે છે. તેને હંમેશા પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઈએ. ધ્યાન રાખો કે સૂર્ય ભગવાનની પ્રતિમા અથવા ચિત્રને તોડવું જોઈએ નહીં, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. સૂર્યદેવની હાજરી ઘરમાં ઉર્જા અને સૌભાગ્ય લાવે છે.
સૂર્ય દેવના મંત્ર અને તેના લાભ
સૂર્ય દેવના મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. “ॐ घृणि सूर्याय नमः” સૂર્યદેવનો પ્રસિદ્ધ મંત્ર છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિને તેજ, યશ અને સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે. સૂર્યોદય સમયે મંત્રનું ઉચ્ચાારણ કરવું સૌથી વધુ ફળદાયી રહે છે.
તાંબાનો સૂર્ય લગાવવાનું મહત્વ
વાસ્તુ શાસ્ત્રના અનુસાર,ઘરમાં તાંબાનો સૂર્ય લગાવવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. તેને પૂર્વમાં લગાવવાનું સૌથી વધારે શુભ માનવામાં આવે છે.
સૂર્ય ભગવાનના પ્રતીકાત્મક રંગો
સૂર્ય ભગવાન સાથે સંકળાયેલા રંગો નારંગી અને લાલ છે. ઘરની દીવાલો પર આ રંગોનો ઉપયોગ વાસ્તુ અનુસાર ફાયદાકારક છે. તેમજ ઘરમાં લાલ રંગના ફૂલ કે છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા અને સુખ-સમૃદ્ધિ આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞો પાસેથી સલાહ જરૂરથી લો.)





















