ગંગોત્રી-યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા બાદ, હવે ભક્તો બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ ચારધામની મુલાકાત લે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
ઉત્તરાખંડના હિમાલયી ગઢવાલ પ્રદેશના બદ્રીનાથ શહેરમાં સ્થિત, બદ્રીનાથ લગભગ 3,100 મીટરની ઊંચાઈ પર આવેલું છે. બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે.
બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા
બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન છે. 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટખુલ્યા બાદ બદ્રીનાથના કપાટ આજે ખુલ્યા. બદ્રીનાથ ધામના કપાટ આજે સવારે 6 વાગ્યા ખુલ્યા. બદ્રીનાથને ચારધામ યાત્રાનો છેલ્લો પડાવ માનવામાં આવે છે. અહીંયા ગયા વગર ચારધામ યાત્રા અધૂરી માનવામાં આવે છે.
#WATCH | Uttarakhand: The portals of Badrinath Dham opened amid melodious tunes of the Army band and chants of Jai Badri Vishal by the devotees pic.twitter.com/BHzt7gWx4V
— ANI (@ANI) May 4, 2025
રાવલ પૂજા કરે છે
બદ્રીનાથની પૂજા કરતા મુખ્ય પૂજારીને રાવલ કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અને બદ્રીનાથજીની મૂર્તિને સ્પર્શ કરવાનો અધિકાર ફક્ત રાવલને જ છે. કપાટખોલતા પહેલા, નરસિંહ મંદિર (જોશીમઠ) થી ભગવાન વિષ્ણુની જંગમ મૂર્તિ અને પૂજા સામગ્રી લઈને યાત્રા કાઢવામાં આવે છે. બાબા બદ્રીનાથ ધામના કપાટખોલ્યા પછી, આગામી 6 મહિના સુધી તેમના શણગાર અને પૂજામાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.
નર-નારાયણે તપ કર્યું
બદ્રીનાથ મંદિરમાં, ભગવાન વિષ્ણુની સાથે, ભગવાનના નરનારાયણ સ્વરૂપની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે અહીં ભગવાને નરનારાયણના રૂપમાં તપસ્યા કરી હતી. તેથી, મંદિરના ગર્ભગૃહમાં, શ્રી હરિ વિષ્ણુ સાથે ધ્યાનસ્થ અવસ્થામાં નર નારાયણની મૂર્તિ સ્થિત છે.




















