વર્તમાન સમયની કોર્પોરેટ લાઈફમાં ઓફિસ રોમાન્સ કોઈ નવી વાત નથી પરંતુ જ્યારે દિલ પોતાના બોસ પર આવી જાય ત્યારે મામલો માત્ર લાગણીઓનો જ નહીં પણ પાવર ગેમ અને ગ્રહોની રમતનો બની જાય છે. શું આ પ્રેમ તમને પ્રમોશન અપાવશે કે પછી તમારું રાજીનામું લખાવશે? જ્યોતિષીય વિશ્લેષણ દ્વારા જાણી શકાય છે કે શુક્ર, શનિ અને રાહુની ત્રિપુટી કાર્યસ્થળ પર કઈ રીતે હની ટ્રેપ અથવા સોલમેટના યોગ બનાવે છે.
શા માટે આકર્ષે છે બોસનું વ્યક્તિત્વ?
મનોવિજ્ઞાન મુજબ આપણે પાવર પ્રત્યે આકર્ષિત થઈએ છીએ જ્યારે જ્યોતિષશાસ્ત્રમાં તેને સૂર્ય અને શનિનો પ્રભાવ માનવામાં આવે છે. જ્યારે કુંડળીમાં સૂર્ય નબળો હોય છે ત્યારે વ્યક્તિ અજાણતા જ એવી વ્યક્તિને શોધે છે જે તેને સુરક્ષા અને સત્તાનો અહેસાસ કરાવી શકે. જો કુંડળીમાં શનિ અને શુક્ર સાથે હોય તો વ્યક્તિને પોતાના કરતા ઊંચા પદ અથવા મોટી ઉંમરની વ્યક્તિમાં જ પોતાનો પરફેક્ટ મેચ દેખાય છે.
ગ્રહોની ચાલ અને કરિયર પર તેની અસર
જ્યોતિષશાસ્ત્રના દ્રષ્ટિકોણથી કેટલીક ખાસ સ્થિતિઓ ઓફિસમાં અફેર અને તેના પરિણામો નક્કી કરે છે:
1. જો 10માં ભાવમાં શુક્ર અને શનિ હોય તો બોસ સાથે ગાઢ અને લાંબો સંબંધ રહી શકે છે પરંતુ તે સંઘર્ષપૂર્ણ સાબિત થાય છે. ૨. રાહુ અને પંચમેશની યુતિ ગુપ્ત અફેર, અફવાઓ અને અચાનક બદનામીનો ભય પેદા કરે છે. ૩. મંગળ અને શુક્રનું કાર્યસ્થળના ભાવમાં હોવું તીવ્ર શારીરિક આકર્ષણ જન્માવે છે જે આગળ જતાં વિવાદમાં બદલાઈ શકે છે. ૪. જો ૧૦માં ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોય તો મર્યાદા જળવાઈ રહે છે અને સંબંધ લગ્ન સુધી પહોંચી શકે છે.
બૃહત્ પારાશર હોરા શાસ્ત્ર મુજબ જ્યારે કર્મ સ્થાન એટલે કે ૧૦માં ભાવ પર કામ વાસનાના ગ્રહોનો પ્રભાવ વધે છે ત્યારે વ્યક્તિ રસ્તો ભટકી શકે છે. જો કુંડળીમાં ગજકેસરી યોગ કે મજબૂત ગુરુ હોય તો વ્યક્તિ ઓફિસની રાજનીતિ અને આવા સંબંધોની જાળમાંથી બચી નીકળે છે.
જો તમે બોસના પ્રેમમાં હોવ તો બચવા માટે કરો આ ઉપાય
જો તમે આવી સ્થિતિમાં હોવ અને તમારી પ્રતિષ્ઠા બચાવવા માંગતા હોવ તો જ્યોતિષશાસ્ત્રમાં ૩ મુખ્ય ઉપાયો સૂચવવામાં આવ્યા છે:
શનિની શાંતિ: દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો જેથી પ્રોફેશનલ લાઈફમાં કોઈ દંડ કે તકલીફ ન ભોગવવી પડે.
કેસરનો તિલક: રોજ કપાળ પર કેસરનું તિલક લગાવવું જેનાથી ગુરુ ગ્રહ મજબૂત બને છે અને બુદ્ધિ ભ્રમિત થતી નથી.
શુક્રનું દાન: જો સંબંધોમાં તણાવ વધી રહ્યો હોય તો સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ.
તમારી કુંડળીના સિતારા તમને સતત સંકેત આપતા હોય છે. જો ૧૦માં ભાવમાં રાહુ બેઠો હોય તો સાવધાન થઈ જવું જોઈએ કારણ કે તે પ્રેમ નહીં પણ એક પ્રકારની જાળ હોઈ શકે છે.





















