logo-img
Astrology Eighth House Benefits Wealth And Longevity

જન્મકુંડળીનો આ ભાવ ખોલી શકે છે આકસ્મિક ધનલાભ, વારસાઈ મિલકતના દ્વાર : જાણો અષ્ટમ ભાવનું રહસ્ય

જન્મકુંડળીનો આ ભાવ ખોલી શકે છે આકસ્મિક ધનલાભ, વારસાઈ મિલકતના દ્વાર
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 04:30 PM IST

જ્યોતિષ શાસ્ત્ર અને જન્મકુંડળી વિજ્ઞાનમાં લગ્નથી આઠમા સ્થાનને મૃત્યુનું ઘર માનવામાં આવે છે કારણ કે તે મૃત્યુના કારણ અને પ્રકાર વિશે માહિતી આપે છે. આ ભાવ પરિવર્તન, પુનર્જન્મ અને વર્તમાન જીવનચક્રના અંત સાથે જોડાયેલો છે. જોકે સામાન્ય રીતે લોકોમાં એવી ખોટી માન્યતા હોય છે કે આઠમું સ્થાન હંમેશા નકારાત્મક કે અશુભ જ હોય છે. હકીકતમાં અષ્ટમ ભાવ પૂર્વ જન્મના આશીર્વાદ પ્રદાન કરે છે. જ્યારે આ ભાવમાં રાજયોગ રચાય છે ત્યારે વ્યક્તિને અચાનક લોટરી લાગવી અથવા વસિયત દ્વારા અઢળક ધન, જમીન અને જાયદાદ પ્રાપ્ત થવાના યોગ બને છે.

સંશોધન અને રહસ્યમય વિદ્યાઓનો છે આ ભાવ

આઠમું સ્થાન માત્ર મુશ્કેલીઓ જ નહીં પણ સકારાત્મક પરિવર્તન અને વિકાસનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ઈતિહાસ સાક્ષી છે કે મોટાભાગની શોધ અને આવિષ્કારો જોખમ ઉઠાવ્યા પછી જ થયા છે અને આ સંશોધક વૃત્તિ અષ્ટમ ભાવથી જ આવે છે. આ ભાવથી જીવનસાથીની વાણી વિશે પણ જાણી શકાય છે. આ ઉપરાંત વિદેશ યાત્રા, આકસ્મિક લાભ કે હાનિ, સૃષ્ટિના રહસ્યોની શોધ તેમજ જ્યોતિષ જેવી ગૂઢ વિદ્યાઓનું જ્ઞાન પણ આ સ્થાન સાથે જોડાયેલું છે.

અચાનક પ્રમોશન કે સસ્પેન્શનનો નિર્ધારક

નોકરીમાં અચાનક મળતી પદોન્નતિ કે અણધારી આફત સમાન સસ્પેન્શન પણ અષ્ટમ ભાવ, ગ્રહદશા અને ગોચરના તાલમેલ પર નિર્ભર કરે છે. કોઈને જમીનમાંથી દટાયેલું ધન મળવું તે પણ આ ઘર સાથે સંબંધિત છે. આ ભાવનો કારક શનિ હોવાથી તેને સંન્યાસ અવસ્થાનો ભાવ પણ કહેવામાં આવે છે.

આયુષ્ય નિર્ધારણ માટે સૌથી મહત્વનું સ્થાન

જ્યોતિષ શાસ્ત્રના વિદ્યાર્થીઓને હંમેશા શીખવવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિના ભવિષ્યનું ફલાદેશ કરતા પહેલા તેના આયુષ્યનું પરીક્ષણ કરવું અનિવાર્ય છે. જો આયુષ્ય જ ન હોય તો કુંડળીમાં બનતા અન્ય રાજયોગોનો કોઈ અર્થ રહેતો નથી. અષ્ટમ ભાવ અને તેના સ્વામી એટલે કે અષ્ટમેશની સ્થિતિ આયુષ્ય નક્કી કરવા માટે સૌથી વધુ જવાબદાર માનવામાં આવે છે. આ ભાવના આધારે વ્યક્તિ અલ્પાયુ હશે, મધ્યમ આયુ કે દીર્ઘાયુ તે જાણી શકાય છે. જોકે સચોટ આયુષ્ય ભાખવા માટે મારકેશની ગણતરી, મહાદશા, અંતર્દશા અને ગોચરનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now